ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મમતાએ 2 દિવસ પહેલા જ કહ્યું હતુ કે, તેઓ બદલો લેશે: PM મોદી - Mamta benrji

કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી પર નિશાન સાંધ્યુ છે. તેમણે કહ્યું કે, દીદીના ગુંડાઓ બંગાળમાં બોમ્બ અને બંદુક લઇને તબાહી મચાવી રહ્યા છે. PM મોદીએ કહ્યું કે, મમતાએ 2 દિવસ પહેલા જ કહ્યું હતુ કે, તેઓ બદલો લેશે.

.ANI

By

Published : May 15, 2019, 7:39 PM IST

બંગાળની જનતાનું આહ્વાન કરતા મોદીએ કહ્યું કે, તમારો આ જોશ મમતા દીદીની આ આત્યાચારી સત્તાને ઉખાડી ફેંકશે.

PM મોદીએ કહ્યું કે મમતા બેનર્જીએ પોતાનો એજંડો 24 કલાકમાં જ પુરો કરી લીધો. બંગાળમાં જનસમર્થનનો દાવો કરતા મોદીએ કહ્યું કે આ રાજ્ય BJPને 300થી વધુ સીટ જીતવામાં મદદ કરશે.

સૌ.ANI

પ્રિયંકા શર્માની ઘટનાની નિંદા મોદીએ કહ્યું કે, જે દીકરીઓને તમે જેલમાં પુરવાનું કામ કરી રહ્યા છો, તે જ તમને પાઠ ભણાવશે. PM મોદીએ સવાલ કરતા કહ્યું કે એક ફોટા માટે આટલો ગુસ્સો?

સૌ.ANI

PM મોદીએ કહ્યું કે દીદી તમે પોતે એક કલાકાર છો, હું તમને કહું છું કે મારો ખરાબમાં ખરાબ ફોટો તૈયાર કરો અને 23મે પછી, મારી PM શપથ પછી મારો જે ફોટો બનાવ્યો હોય તે મને ભેટ કરી દો..હું તમારી પર FIR નહી કરુ.

સૌ.ANI

ABOUT THE AUTHOR

...view details