ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રયાગરાજમાં PM મોદી બોલ્યા- દરેક વ્યક્તિને લાભ મળે એ જ સબકા સાથ-વિકાસ-વિશ્વાસનો હેતું - PM in Prayagraj

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજની એક શિબિરમાં વરિષ્ઠ નાગરિકોને સહાયક-ઉપકરણ વિતરણ કર્યાં હતાં. આ દરમિયાન લોકોને સંબોધન કરતા PM મોદીએ કહ્યું કે, તીર્થરાજ પ્રયાગરાજમાં આવીને હંમેશા એક અલગ જ પવિત્રતા અને ઊર્જાનો અનુભવ થાય છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં કુંભ દરમિયાન આ પવિત્ર ધરતી પર આવ્યો હતો, ત્યારે સંગમમાં સ્નાન કરીને અને તેની સાથે-સાથે મને વધુ એક સૌભાગ્ય મળ્યું હતું.અમારે ત્યાં કહેવામાં આવે છે કે, स्वस्ति: प्रजाभ्यः परिपालयंतां. न्यायेन मार्गेण महीं महीशाः! એટલે કે, સરકારની એ ફરજ છે કે, દરેક વ્યક્તિનું સારું થાય, દરેક વ્યક્તિને લાભ મળે. આ વિચાર જ તો છે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્રનો આધાર છે.

Etv Bharat, Gujarati News, PM Modi
પ્રયાગરાજ પહોંચ્યા PM મોદી

By

Published : Feb 29, 2020, 1:22 PM IST

પ્રયાગરાજઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજની એક શિબિરમાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કર્યાં હતાં. આ દરમિયાન લોકોને સંબોધન કરતા PM મોદીએ કહ્યું કે, તીર્થરાજ પ્રયાગરાજમાં આવીને હંમેશા એક અલગ જ પવિત્રતા અને ઉર્જાનો અનુભવ થાય છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં કુંભ દરમિયાન આ પવિત્ર ધરતી પર આવ્યો હતો, ત્યારે સંગમમાં સ્નાન કરીને અને તેની સાથે-સાથે મને વધુ એક સૌભાગ્ય મળ્યું હતું. જે બાદ PM મોદી બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું શિલાયાન્સ પણ કરશે. લગભગ 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો બુંદેલખંડના વિકાસમાં મહત્વનું યોગદાન છે. તેનાથી ચિત્રકુટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા જનપદને લાભ મળશે. એટલું જ નહીં બુંદેલખંડ એક્સપ્રેસ-વેથી ડિફેન્સ કૉરિડોરમાં રોકાણ કરનારી કંપનીઓને પણ મોટો લાભ થશે.

જનસભાને સંબોધનમાં મોદીએ કહ્યું કેઃ

  • દિવ્યાંગોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે મોદી સરકાર. આસિસટન્ટ ટૂ ડિસેબલ્ડ પર્સન્સ સ્કીમ હેઠળ 2009-10થી 2013-14ની વચ્ચે 378 કરોડ રુપિયાના ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો, જ્યારે 2014-15થી 2019-20ની વચ્ચે 917 કરોડના ફંડનો ઉપયોગ કરાયો હતો.
  • તીર્થરાજ પ્રયાગરાજમાં આવીને હંમેશા એક અલગ જ પવિત્રતા અને ઊર્જાનો અનુભવ થાય છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં કુંભ દરમિયાન આ પવિત્ર ધરતી પર આવ્યો હતો, ત્યારે સંગમમાં સ્નાન કરીને અને તેની સાથે-સાથે મને વધુ એક સૌભાગ્ય મળ્યું હતું.
  • સફાઇ કર્મચારી જે ઐતિહાસિક કુંભની પવિત્રતા વધારી રહ્યા હતા અને જેના પરિશ્રમ અને પુરૂષાર્થને લીધે સમગ્ર વિશ્વમાં પ્રયાગરાજના આ કુંભની સ્વચ્છતાની ચર્ચા થાય છે.
  • સમગ્ર દુનિયામાં પ્રયાગરાજની એક નવી ઓળખ બની છે. કુંભમાં એક નવી પરંપરા જોવા મળી અને તેને સફળ કરનારા તમામ સફાઇ કર્મચારીઓના ચરણ ધોઇ અને મને આ મહાન સિદ્ધિ મેળવનારા તે સફાઇ કર્મચારીઓને નમન કરવાનો અવસર મળ્યો હતો.
  • આજે પણ કંઇક એવું જ સૌભાગ્ય મને મા ગંગાના તટ પર પ્રાપ્ત થયું છે. પ્રધાનસેવક તરીકે મને હજારો દિવ્યાંગજનો, વરિષ્ઠ લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે. થોડા સમય પહેલા લગભગ 27000 સાથીઓને ઉપકરણ આપવામાં આવ્યાં છે.
  • અમારે ત્યાં કહેવામાં આવે છે કે, स्वस्ति: प्रजाभ्यः परिपालयंतां. न्यायेन मार्गेण महीं महीशाः! એટલે કે, સરકારની એ ફરજ છે કે, દરેક વ્યક્તિનું સારું થાય, દરેક વ્યક્તિને લાભ મળે. આ વિચાર જ તો છે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્રનો આધાર છે.
  • તમારા પ્રધાન સેવક રુપે મને હજારો દિવ્યાંગ જનો અને વૃદ્ધો, વરિષ્ઠ જનોની સેવા કરવાનો પણ અવસર મળ્યો હતો. થોડા સમય પહેલા અહીંયા લગભગ 27 હજાર સાથીઓને ઉપકરણ આપવામાં આવ્યાં છે.
  • કોઇને ટ્રાઇસિકલ મળી, કોઇને સાંભળવાનું મશીન મળ્યું અને વ્હીલચેર મળી છે. અહીંયા આ સામાજિક અધિકારિતા શિબિરમાં અનેક રેકોર્ડ પણ બની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details