નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી સરકારે તેમના પ્રધાનોને રાજ્યોના પ્રભારી અને COVID-19 મહામારીને હરાવવામાં મહત્વની ભુમિકા નિભાવવાનું કહ્યું છે.
કોરોના પર નજર , PM મોદીએ કેબિનેટ પ્રધાનોની સોંપી મહત્વની જવાબદારી - Covid-19
કોરોના વાઈરસ સામે લડવા માટે કેન્દ્ર સરકાર અનેક પગલા લઈ રહી છે. સમગ્ર રાજ્યોમાંથી ઝડપી માહિતી મળી શકે તે માટે મોદી સરકારે બધા જ કેબિનેટ પ્રધાનોને અલગ-અલગ રાજ્યોના પ્રભારી બનાવ્યા છે. પ્રધાનોને રાજ્યોના દરેક જિલ્લાના ડીએમ અને અધિકારીઓ સાથે વાત કરશે.ત્યારબાદ પીએમઓને તેમની જાણકારી આપશે. તેમણે જોવાનું રહેશે કે, આરોગ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયના ગાઈડલાઈન્સ અમલમાં કોઈ મુશ્કેલી આવી રહી છે કે નહી.
![કોરોના પર નજર , PM મોદીએ કેબિનેટ પ્રધાનોની સોંપી મહત્વની જવાબદારી etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6554527-thumbnail-3x2-qwe.jpg)
etv bharat
સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમઓના એક પત્ર બધા જ પ્રધાનોને મોકલવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું કે, તેમણે શું કરવાનું છે. તેમણે દરેક ડીએમને સુનિશ્ચિત કરવાનું રહેશે કે,કોઈ મુશ્કેલી નથી થઈ રહી ને.