ગુજરાત

gujarat

By

Published : Apr 24, 2020, 11:50 AM IST

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટમાં પરપ્રાંતિય મજૂરોના વતન ફરવા વિરુદ્ધ અરજી દાખલ

હાલમાં પ્રરપ્રાંતિય મજૂરોએ ઉચ્ચ ન્યાયાયલયમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે પોતાના વતન ફરવાની વાત મૂકી હતી. જેની સામે હવે બીજી અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં મજૂરોને વતન પરત ફરવા પર ઉભી થતી મુશ્કેલીઓ જણાવી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સુપ્રિમ કોર્ટ
સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં પરપ્રાંતિય મંજૂરોને લઈને જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પરપ્રાંતિય મજૂરો પોતાના વતન પરત ફરવા માટે માગ કરી રહ્યાં છે. આ માગ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આમ કરવાથી કોવિડ -19 ના પ્રસારમાં ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. કોરોના વાઈરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે યોગ્ય લોકડાઉન કરવું ખૂબ જ જરૂરી છે અને લોકડાઉનને યોગ્ય અને સામાન્ય રાખવું દરેક નાગરિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કોઈ પણ સંજોગોમાં પરપ્રાંતિય મજૂરો સહિત અન્ય લોકો સાથે અન્યાય કરવાની મંજૂરી ન આપવી જોઈએ. વાઈરસનો ચેપ ફેલાવવા પ્રોત્સાહન ન આપવું જોઈએ. જેથી મજૂરોને પરવાનગી આપવી જોઈએ નહીં.

ABOUT THE AUTHOR

...view details