ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અશાંત, પ્રશાંત કિશોર પર સુશીલ મોદીનો પલટવાર કહ્યું- 'પ્રશાંતને 2014માં મોદી-ભાજપ ગોડસેવાદી કેમ ન લાગી?' - બિહાર ચૂંટણી

પટના: રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા હતાં. પ્રશાંત કિશોરના સવાલો પર બિહારના ઉપ મુખ્યપ્રધાન સુશીલ મોદીએ પલટવાર કર્યો છે. વાંચો સમગ્ર સમાચાર...

modi
પટના

By

Published : Feb 19, 2020, 9:54 AM IST

પટના: પ્રશાત કિશોરના સવાલો પર જનતા દળ યુનાઈટેડ (JDU)ના પ્રવક્તાઓ ચૂપ છે. બિહારના ઉપમુખ્યપ્રધાન સુશીલ મોદીએ નીતિશ કુમારનું સમર્થન કર્યું છે. સુશીલ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, બિહારમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. જેથી કોઈ પણ પોતાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ લાભ મળે અથવા સફળતાઓને ધ્યાનમાં રાખીને નિવેદન આપી રહ્યું છે. સુશીલ મોદીએ કહ્યું કે, સરકાર પાંચ વર્ષના કામ જનતાની સામે રાખશે. જે બેરોજગાર છે, તેઓ રથયાત્રા યોજીને પોતાની નાકામી પર પરદો રાખવા માગે છે.

સુશીલ મોદીએ પ્રશાંત કિશોરનું નામ લીધા વગર કહ્યું કે, જે ઈવેન્ટ મેનેજમેન્ટ અને સ્લોગન રાઈટિંગનું કામ કરતા હતાં, તે હવે નવો ઢોંગ રચી રહ્યાં છે. સુશીલ મોદીએ કહ્યું કે, જનતા માલિક છે અને જનતા કામ પર આશીર્વાદ આપવાની છે.

સુશીલ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઈવેન્ટ મેનેજમેન્ટની કોઈ વિચારધારા નથી હોતી, પરંતુ તેઓ પોતાની પ્રાયોજકની વિચારધારા અને ભાષા સ્વીકારવામાં માસ્ટર છે. જનતા જોઇ રહી છે કે, ચૂંટણી નજીક આવવાથી અચાનક ગોડસેના વિચારો દેખાવવા લાગ્યાં છે અને કોણ દૂધે ધોયેલું છે, હવે સેક્યુલર ગાંધીવાદી લાગવા લાગ્યું છે આ પાખંડ છે. કોઇ પિતાતૃલ્ય ગણાવીને પિતા માટે પિછલગ્ગૂ જોવા શબ્દોનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરને કેટલાક સમય પહેલા મતભેદના કારણે નીતિશ કુમારને JDUમાંથી હાકી કાંઢ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details