ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડનું સન્મામ, આ ગુજરાતીનું થયું બહુમાન - Ganpat University

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યા હતા. જેમમાં ડાન્સર પ્રભુદેવા, દિવંગત પત્રકાર કુલદીપ નૈય્યર અને ઉદ્યોપતિ જૉન ચેમ્બર્સ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. આ પદ્મ પુરસ્કાર માટે રાષ્ટ્રપતિ ભવનમાં એક ખાસ કાર્યક્રમમાં યોજાયો હતો. અગાઉ ચાર પદ્મ વિભૂષણ, 14 પદ્મ ભૂષણ અને 94 પદ્મશ્રી સહિત 112 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.

સૌ. ટ્વિટર President of India

By

Published : Mar 11, 2019, 5:28 PM IST

આ પુરસ્કાર મેળવનારોઓમાં 8 ગુજરાતી પણ સામેલ હતાં. જેમાં રાષ્ટ્રપતિ કોવિંદે ગણપતભાઈ પટેલને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે પ્રદાન બદ્દલ પદ્મશ્રી એનાયત કર્યો હતો. ગણપત પટેલ ગણપત યુનિવર્સિટી, મહેસાણાના પ્રમુખ છે. ગણપત પટેલને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહયોગ-અનુદાન આપવા માટે આ સન્માન એનાયત થયું છે.

રાષ્ટ્રપતિ કોવિંદે બિમલ પટેલને સ્થાપત્યના ક્ષેત્રે પ્રદાન બદલ પદ્મશ્રી એનાયત કર્યો હતો. તેઓ CEPT યુનિવર્સિટીના પ્રમુખ, નગર આયોજક અને શિક્ષણવિદ છે. તેઓએ ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, IIM અમદાવાદ અને સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

રાષ્ટ્રપતિ કોવિંદે વલ્લભભાઈ વસરામભાઈ મારવણિયાને ખેતી ક્ષેત્રે પ્રદાન બદલ પદ્મશ્રી એનાયત કર્યો હત. વલ્લભભાઈ ગુજરાતમાં ગાજરની ખેતીને લોકપ્રિય કરવામાં અગ્રેસર રહ્યા છે.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ કોવિંદે મુક્તાબેન પંકજકુમાર ડગલીને સમાજસેવાનાં કાર્યો બદલ પદ્મશ્રી એનાયત કર્યો હતો. મુક્તાબેન સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજના સ્થાપક છે. વર્ષ ૧૯૯૬માં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details