જયપુરઃ રાજસ્થાનમાં મૃત્યુ બાદ કરવામાં આવતા બારમા પર પ્રતિબંધ લગાવવા માટે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા હતા. જે બાદ હવે આ કુરિવાજને રોકવા માટે સ્વંયમ પ્રશાસને જવાબદારી સ્વીકારી છે. આ રિવાજને બંધ કરવાની જવાબદારી જિલ્લા પોલીસ અધિક્ષકોને સોંપવામાં આવી છે. આ બાબતે પોલીસ કાર્યાલય તરફથી લેખિતમાં આદેશ આપવામાં આવ્યો છે.
વહીવટી તંત્રે હવે બારમાની કુપ્રથાને રોકવા માટે મેદાનમાં ઉતર્યું છે. જેને કારણે બારમાના કુરિવાજને રોકવાની જવાબદારી પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે. આ માટે રાજસ્થાન પોલીસના ડીજીપી ભૂપેન્દ્રસિંહે રાજ્યના તમામ SPને આદેશ આપ્યા છે. આ આદેશ મુજબ જણાવવામાં આવ્યું છે કે, બારમા આપવા બદલ પ્રાદેશિક પંચ, સરપંચ અને પટવારી જવાબદાર રહેશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.