ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક પરિવારની સત્તાની ભૂખ માટે 45 વર્ષ પહેલા કટોકટી જાહેર થઈ હતી : અમિત શાહ - gujaratinews

દેશમાં 45 વર્ષ પહેલા કટોકટી લગાવવામાં આવી હતી. જેને લઈ ગૃહપ્રધાન એમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. શાહે કહ્યું કે, શું કોંગ્રેસ પાર્ટીમાં એક પરિવારમાંથી ન હોવા અંગે સવાલ પુછવાની પરવાનગી કેમ નથી.

Union Home Minister Amit Shah
Union Home Minister Amit Shah

By

Published : Jun 25, 2020, 11:23 AM IST

નવી દિલ્હી: ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આ એક કડવું સત્ય છે કે, કોંગ્રેસ નેતા પોતાનું શોષણ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા હતાશ કેમ થઈ રહ્યા છે. વધુમાં શાહે કહ્યું કે, 45 વર્ષ પહેલા આજના દિવસે સત્તાની લાલચમાં એક પરિવારે દેશમાં કટોકટી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે, રાતોરાત દેશને જેલમાં બદલવામાં આવ્યો હતો. મીડિયા, અદાલત બધું જ પૂર્ણ થઈ ગયું હતું. ગરીબો અને દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

લાખો લોકોના પ્રયાસના કારણે કોટોકટી દુર થઈ હતી. ભારતમાં લોકતંત્ર બેહાલ થયું હતું પરંતુ લોકતંત્ર કોંગ્રેસ પાર્ટીમાંથી હજી પણ બાકાત રહ્યું છે. તેમણે કહ્યું કે, એક પરિવાર અને પાર્ટીનું હિત રાષ્ટ્રીય હિત પર હાવી હતું.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની હાલની બેઠકનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે, બેઠક દરમિયાન વરિષ્ઠ સભ્યો અને અન્ય સભ્યોએ કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા પરંતુ તેમને શાંત કરાવવા માટે તેમને દબાવવામાં આવ્યા હતા. પાર્ટીના એક પ્રવકતાને વિચાર્યા વગર બરખાસ્ત કરવામાં આવ્યા હતા. સત્ય તો એ છે કે, કોંગ્રેસના નેતાઓ પાર્ટીમાં ગુંગણામણ અનુભવી રહ્યા છે.

શાહે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં લગાવવામાં આવેલી કટોકટીને લઈને કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટ કરીને કોંગ્રેસ પાર્ટીની લોકતાંત્રિક પ્રકિયા પર સવાલો ઉઠાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details