ગુજરાત

gujarat

ચક્રવાતઃ ઓડિશાના પુનઃનિર્માણ કાર્યો માટે રૂ. 500 કરોડની વચગાળાની સહાયતા

By

Published : May 24, 2020, 10:03 AM IST

Updated : May 24, 2020, 12:15 PM IST

ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત ઓડિશાના પુનઃનિર્માણ કાર્યો માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 500 કરોડ રુપિયાની વચગાળાની સહાયતા રકમ આપવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Odisha News,  cyclone rampage
cyclone rampage

ભુવનેશ્વરઃ ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત ઓડિશાના પુનઃનિર્માણ કાર્યો માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 500 કરોડ રુપિયાની વચગાળાની સહાયતા રકમ આપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંતરમિ રાહત પેકેજની જાહેરાતના 24 કલાકની અંદર જ રાજ્યને આ રકમ મળી હતી.

ઓડિશાના ચક્રવાત પ્રભાવિત જિલ્લાઓનું હવાઇ પરીક્ષણ કરવા અને શુક્રવારે અહીં સમીક્ષા બેઠક કર્યા બાદ મોદીએ રાજ્ય માટે 500 કરોડ રુપિયાની અગ્રિમ સહાયતા રકમની જાહેરાત કરી હતી.

વિશેષ રાહત આયુક્ત પી. કે જેનાએ ટ્વીટ કરીને ભુવનેશ્વરમાં વડા પ્રધાન મોદીની જાહેરાતના 24 કલાકમાં જ મંત્રાલયને 500 કરોડ રુપિયા આપ્યા હતા. અમે આટલી ઝડપી રકમ આપવા માટે પીએમઓ, નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલયનો આભાર માનીએ છીએ.

Last Updated : May 24, 2020, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details