ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશ્વ યોગ દિવસ પર PM મોદી દેશને સંબોધશે, આ વર્ષે 'માય લાઇફ માય યોગા'નો ઘરે બેસીને કાર્યક્રમ - ભારત-ચીન વચ્ચેના સરહદી વિવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ રાષ્ટ્રને સંબોધિત કરશે. દર વર્ષે 21 જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ માટે સવારે 7 વાગ્યે શરૂ કાર્યક્રમ થશે. યોગ દિવસ પર એક કાર્યક્રમની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોના વાઇરસ રોગચાળાને લીધે આ વર્ષે યોગ દિવસ પર ઘરે રહી પરિવાર સાથે યોગ કરવા.

observe-this-yoga-day-at-home-pm
વિશ્વ યોગ દિવસ પર PM મોદી દેશને સંબોધશે

By

Published : Jun 18, 2020, 10:38 PM IST

નવી દિલ્હી: છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવાશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આ સંદર્ભમાં એક કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેને 'માય લાઇફ માય યોગા'નું નામ આપવામાં આવ્યું છે. કોરોના વાયરસ રોગચાળાને લીધે, આ વર્ષે યોગ દિવસ ઘરે રહીને જ પરિવાર સાથે યોગ કરવા કહ્યું છે.

PM મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને યુવાનોમાં યોગની વધતી લોકપ્રિયતાથી હું ખુશ છું. આપણે કોરોનાકાળના સમયે છઠ્ઠો યોગ દિવસ ઘરી રહી ઉજવીશું. સામાન્ય રીતે વિવિધ જાહેર કાર્યક્રમોથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે 'ઘરે યોગા અને પરિવાર સાથે યોગા'ના થીમ પર ઉજવાણી કરવામાં આવશે.

દેશને સંબોધનનો કાર્યક્રમ સવારે 7 વાગ્યે શરુ થશે, જે લગભગ 1 કલાક ચાલી શકે છે. પાછલા વર્ષે વડાપ્રધાન મોદીએ રાંચીથી આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે આ કાર્યક્રમ લેહમાં નિર્ધારિત હતો, પણ કોરોના વાઇરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે.

યોગને આંતરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવામાં ભારતની મોટી ભૂમિકા રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારબાદ બાદ સંયુક્ત રાષ્ટ્રના દેશોએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો.

વર્ષ 2015માં 21 જૂનના દિવસે પહેલીવાર વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેશની ઘણી મોટી હસ્તીઓ અને લોકોએ ભાગ લીધો હતો. આમ, યોગ દિવસ ભારતમાં દર વર્ષે ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોના વાયરસનાં સંક્રમણને જોતા કોઈ ખાસ તૈયારી કરવામાં આવી નથી.

દુનિયાભરમાં આ દિવસની ઉજવણી માટેના આયોજનો પણ કરવામાં આવે છે. આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન મોદી જીવનમાં યોગના મહત્વ અંગે વાત કરી શકે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદી ભારત-ચીન વચ્ચેના સરહદી વિવાદ અને જવાનોની શહાદત પર વાત કરશે કે નહીં.

ABOUT THE AUTHOR

...view details