ગુજરાત

gujarat

ETV Bharat / bharat

#Chandrayaan2: અંતરિક્ષમાં ભારતની ઊડાન, મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને આપી શુભકામના

ન્યૂઝ ડેસ્કઃ આજે ચંદ્રયાન-2નું આંધ્રપ્રદેશના હરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચીંગ કરવામાં આવ્યું છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, #ચંદ્રયાન-2 નું સફળ પરિક્ષણના આપણા પ્રયાસો આપણાં તેજસ્વી યુવાનોને વિજ્ઞાન, ઉચ્ચ ગુણવત્તાસભર સંશોધન અને નવીનતમ પ્રયાસોને પ્રેરણા આપશે.

By

Published : Jul 22, 2019, 4:12 PM IST

Updated : Jul 22, 2019, 6:32 PM IST

#Chandrayaan2

#ચંદ્રયાન-2 માટે ધન્યવાદ, ભારતના ચંદ્ર કાર્યક્રમને ખૂબજ સારું પ્રોત્સાહન મળશે. આ પ્રયોગથી ચંદ્ર વિશે આપણી પાસે રહેલા જ્ઞાનમાં વધારો કરી શકાશે.

Narendra modi Tweet
Narendra modi

મોદીએ વધુમાં તેમણે ટ્વીટ કરી કહ્યું કે, # ચંદ્રયાન-2 કંઈક વિશેષ છે. કારણ કે, દક્ષિણ ધ્રુવના ક્ષેત્રમાં આપણા સંશોધનોને વેગ મળશે અને તેનું નિદર્શન પણ કરી શકાશે. અગાઉના કોઈપણ મિશન થકી જે સંશોધન કે પરિક્ષણ કરવામાં આવ્યું નથી તે આ મિશન થકી ચંદ્ર વિશે નવું જ્ઞાન આપણને આપશે.

Narendra modi Tweet

મારા દિલમાં ભારતીય, મારી આત્મામાં ભારતીય છે.

અમે ભારતીય હોવાથી અમને ઘણી ખુશી થાય છે તે સત્ય છે, કારણ કે, ચંદ્રયાન-2 સ્વદેશી મિશન છે. ચંદ્રયાન અમારા ભવ્ય ઇતિહાસની એક ખાસ ક્ષણ છે.!

Narendra modi Tweet

# ચંદ્રયાન-2 નું સફળ પરિક્ષણ આપણા વૈજ્ઞાનિકો અને 130 કરોડ ભારતીય લોકોના વિજ્ઞાનના નવા સ્તરોને નિર્ધારીત કરવાના સંકલ્પને દર્શાવે છે. જેથી આજે દરેક ભારતીય ગૌરવ અનુભવી રહ્યા છે.

સાથે જ સુષ્મા સ્વરાજે પણ ટ્વીટ કરી ISRO ના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા કે, હું ISROના વૈજ્ઞાનિકોને સલામ કરું છું. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-2નું સફળ પરિક્ષણ કરી ભારત અંતરિક્ષની એખ મહાશક્તિ બની ગયું છે. આ મિશનની સફળતા માટે બધા જ ભારયીયોને શુભેચ્છાઓ.

Sushma swaraj tweet

ISRO ના ચીફ કે. સિવને ચંદ્રયાન-2 ના સફળ લોન્ચિંગ બાદ પ્રેસ કૉન્ફરન્સ કરી કહ્યું કે, ચંદ્રયાન-2 નું પરિક્ષણ સફળ રહ્યું. આ યાન 48માં દિવસે ચંદ્રના દક્ષિણિ ધ્રુવ પર ઊતરશે. ISRO ના ચીફ સિવને કહ્યું કે, સમય પર ટૅકનિકલ તપાસ કરવામાં આવ્યા બાદ જ ઐતહાસિક સફર પર ચંદ્રયાન-2 ને છોડવામાં આવ્યું છે.

K. sivan
Last Updated : Jul 22, 2019, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details