ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હાઈકોર્ટે YSR કોંગ્રેસની માન્યતા અંગે ચૂંટણી પંચ અને જગનમોહન રેડ્ડીને નોટિસ ફટકારી

દિલ્હી હાઈકોર્ટે વાયએસઆર કોંગ્રેસની માન્યતા અંગે દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીને નોટિસ ફટકારી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરતાં ન્યાયાધીશ જયંત નાથની બેંચે 3 સપ્ટેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો છે.

By

Published : Jul 13, 2020, 8:11 PM IST

દિલ્હી હાઇકોર્ટે વાઈએસઆર કોંગ્રેસની માન્યતા અંગે ચૂંટણી પંચ અને જગનમોહન રેડ્ડીને નોટિસ ફટકારી
દિલ્હી હાઇકોર્ટે વાઈએસઆર કોંગ્રેસની માન્યતા અંગે ચૂંટણી પંચ અને જગનમોહન રેડ્ડીને નોટિસ ફટકારી

નવી દિલ્હી: અન્ના વાયએસઆર કોંગ્રેસ દ્વારા આ અરજી કરવામાં આવી છે. અરજદાર વતી વકીલ મીનાક્ષી અરોરા અને વિપિન નાયરે કહ્યું કે, અન્ના વાયએસઆર કોંગ્રેસ પાર્ટી એક રજિસ્ટર્ડ પાર્ટી છે. આ પાર્ટીનું રજીસ્ટ્રેશન 29 સપ્ટેમ્બર 2015 ના રોજ કરવામાં આવ્યું હતું. છેલ્લી સામાન્ય ચૂંટણીમાં, તેમણે અન્ના વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નામ 'હળ' ચૂંટણી નિશાન સાથે લડ્યા હતા.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી 11 જાન્યુઆરી, 2011ના રોજ યુવજન શ્રમિક રાયતુ કોંગ્રેસ પાર્ટીના નામે નોંધાઈ હતી. આંધ્રપ્રદેશમાં આ પાર્ટીની સરકાર છે. પત્રમાં જગનમોહનની પાર્ટીના લેટરહેડમાં સંક્ષિપ્ત નામ વાઈએસઆરના ઉલ્લેખ કરાયો છે. અન્ના વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, જગનમોહનની પાર્ટી તેમના પક્ષની જેમ ટૂંકું નામ વાયએસઆરનો ઉપયોગ કરે છે. જે ગેરકાયદેસર છે.

ABOUT THE AUTHOR

...view details