- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પૂર્વોત્તરના 3 દિવસીય પ્રવાસે
- ગુવાહાટીમાં અમિત શાહે એક રેલીમાં સંબોધન કર્યું
- સરકાર સાથે ચર્ચા કરો અને સમસ્યા સમાધાનનું નિરાકરણ લાવો
આસામ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પૂર્વોત્તરના 3 દિવસીય પ્રવાસે છે. શનિવારે આસામના ગુવાહાટીમાં અમિત શાહે એક રેલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમુક લોકો કૃષિ કાયદાને કારણે આંદોલન કરી રહ્યા છે. હું આ પ્રસંગે સૌને અપીલ કરી રહ્યો છું કે, તમે મુખ્યધારામાં આવો અને સરકાર સાથે ચર્ચા કરો અને સમસ્યા સમાધાનનું નિરાકરણ લાવો.
આસામ સરકારની પ્રસંશા કરતા અમિત શાહએ જણાવ્યું હતું કે, મને ખુશી થાય છે કે, શ્રીમંત શંકરદેવનું જન્મસ્થાન હતું, જેના પર ઘુસણખોરોએ કબ્જો જમાવ્યો હતો. તેને ખાલી કરાવી શંકર દેવની મહાન સ્મૃતિને દિર્ધકાળ સુધી સ્થાયી કરવાનું કામ આસામ સરકારે કર્યું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી આસામની આરોગ્ય સેવાઓ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. આસામમાં લગભગ 15 લાખ અસ્થાયી અને 5થી 10 લાખ સ્થાયી વસ્તી માટે આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે.