ગુજરાત

gujarat

CAAના નિવેદન પર કપિલ સિબ્બલની સ્પષ્ટતા, કહ્યુંઃ જંગ ચાલુ રહેશે

By

Published : Jan 19, 2020, 1:58 PM IST

નવી દિલ્હી : કેરલ સાહિત્ય ઉત્સવમાં શનિવારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, કોઈ પણ રાજ્યમાં નાગરિકતા કાયદાને લાગુ કરવા માટે ન પાડવી તે ગેરબંધારણીય છે. જો કે, રવિવારના રોજ આ નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મારૂ માનવું છે કે, CAA ગેરબંધારણીય છે.

CAA ના નિવેદન પર કપિલ સિબ્બલનો પલટવાર, કહ્યું કે જંગ ચાલુ રહેશે
CAA ના નિવેદન પર કપિલ સિબ્બલનો પલટવાર, કહ્યું કે જંગ ચાલુ રહેશે

ભૂતપૂર્વ કાયદા અને ન્યાય પ્રધાન કપિલ સિબ્બલના કેરલ સાહિત્ય ઉત્સવમાં આપવામાં આવેલા નિવેદન તેમના પાર્ટીના સ્ટેન્ડના વિરૂદ્ધ છે. જો કે, રવિવારે આ નિવેદન પર તેમણે સ્પષ્ટતા કરતો એક ટ્વીટ શેર કર્યો હતો.

તેમણે કહ્યું કે, CAA ગેરબંધારણીય છે. પ્રત્યેક રાજ્ય વિધાનસભાને ઠરાવ પ્રસાર કરવા અને પાછું ખેચવા માટેની માગ બંધારણીય અધિકાર છે. જ્યારે કાયદાને સર્વોચ્ચ અદાલત દ્વારા બંધારણીય જાહેર કરવામાં આવે છે, ત્યારે વિરોધ કરવાથી સમસ્યા ઉભી થશે. જંગ ચાલુ રહેશે.'

ભૂતપૂર્વ કાયદા પ્રધાને કેરલ સાહિત્ય ઉત્સવમાં શનિવારે રહ્યું કે, જ્યારે CAAનો કાયદો બની હોવાથી કોઈ રાજ્ય આ કાયદાને લાગુ કરવાની ના ન કહી શકે. આ શક્ય નથી તેમજ ગેરબંધારણીય છે. વિધાનસભામાં પ્રસ્તાવ મુકીને આ કાયદાનો વિરોધ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ CAA, NRC અને NRPનો વિરોધ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details