ગુજરાત

gujarat

By

Published : Jul 18, 2020, 4:32 PM IST

ETV Bharat / bharat

બુલેટ ટ્રેન સમયસર શરૂ થશે, 60 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણઃ રેલવે બોર્ડ અધ્યક્ષ

રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવનું કહેવું છે કે, મુંબઇ હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે અમદાવાદથી 60 ટકાજમીન સંપાદન કરવામાં આવી છે. રેલવે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરતા પહેલા, જમીનના માલિકો અને તેમના સંગઠનને તેમને થતાં ફાયદાથી સંબંધિત ઘણી વસ્તુઓની ખાતરી આપી રહી છે.

no-renegotiation-of-loan-with-japan-on-bullet-train-project-railway-official
બુલેટ ટ્રેન સમયસર શરૂ થશે, 60 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણઃ રેલવે બોર્ડ અધ્યક્ષ

નવી દિલ્હીઃ રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવનું કહેવું છે કે, મુંબઇ હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે અમદાવાદથી 60 ટકા જમીન સંપાદન કરવામાં આવી છે. રેલવે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરતા પહેલા, જમીનના માલિકો અને તેમના સંગઠનને તેમના ફાયદાથી સંબંધિત ઘણી વસ્તુઓની ખાતરી આપી રહ્યા છે.

બુલેટ ટ્રેન માટે સૌથી મુશ્કેલ જમીન સંપાદન મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રના ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાના જમીન માલિકો અથવા તેમના જૂથો સાથે કોઈ કરાર થયો નથી.

રેલવે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરતા પહેલા, જમીનના માલિકો અને તેમના સંગઠનને ફાયદાથી સંબંધિત ઘણી વસ્તુઓની ખાતરી આપી રહ્યા છે. રેલવે તેમની જમીનના સર્કલ રેટથી પાંચ ગણા ચુકવણી કરી રહ્યું છે. રેલવે આ જમીનમાલિકોના ગામોમાં બાળકો માટે ક્લિનિક્સ અને શાળાઓ પણ ખોલશે.

ભલે બુલેટ ટ્રેન માટે હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટનું કામ સીધું શરૂ થયું નથી, પરંતુ તેનાથી સંબંધિત અન્ય ઘણા મોટા કામો શરૂ થઈ ગયા છે. ઉદાહરણ તરીકે, હાઇસ્પીડ ટ્રેન તાલીમ સંસ્થા તૈયાર છે. પ્રોજેક્ટના માર્ગમાં આવતા કોનકોરનો ડેપો ખસેડવાનું કામ ચાલી રહ્યું છે.

પ્રોજેક્ટની હસ્તગત થયેલ જમીન પર આવતા વૃક્ષોને વિશેષ તકનીકથી સ્થાનાંતરિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના સાબરમતી પેસેન્જર હબનું બાંધકામ પણ શરૂ થઈ ગયું છે. વડોદરાના છાયાપુરી સ્ટેશનનું પુનર્નિર્માણ કાર્ય પણ પ્રગતિમાં છે. છાયાપુરી સ્ટેશન રેલ્વેનો એક ભાગ છે પરંતુ તેનો ઉપયોગ બુલેટ ટ્રેન રૂટ પર સહાયક સ્ટેશન તરીકે કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details