ગુજરાત

gujarat

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધાર નહીં, હાલત સ્થિર

By

Published : Aug 22, 2020, 3:24 PM IST

મગજની શસ્ત્રક્રિયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. હાલ તેમની હાલતમાં કોઈ સુધારો થયો નથી. તેમની હાલત સ્થિર છે. અગાઉ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયતમાં કોઈ સુધાર નહીં
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયતમાં કોઈ સુધાર નહીં

નવી દિલ્હી: મગજની શસ્ત્રક્રિયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. હાલ તેમની હાલતમાં કોઈ સુધારો થયો નથી. અગાઉ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નથી અને તેઓ હજી પણ વેન્ટિલેટર પર છે. આ માહિતી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે.

આ પહેલાં પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના મગજની સર્જરી કરવામાં આવી હતી. આ અગાઉ તેમનો કોવિડ-19નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details