પટના: લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર ફરી એક વખત પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણીના પરિણામ બાદ નીતિશ ભાજપનો સાથ છોડી આરજેડીની સાથે ગઠબંધન કરી લેશે.
બિહાર ચૂંટણી: BJPનો સાથ છોડી RJDની સાથે જશે સીએમ સાહેબ : ચિરાગ પાસવાન - બિહાર વિધાનસભા ચૂંટણી
બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે. આ વચ્ચે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું કે, ચૂંટણી બાદ નીતિશ કુમાર ભાજપનો સાથ છોડી મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યું છે.

Chirag Paswan
ચિરાગ પાસવાને કહ્યું કે, નીતિશ કુમાર દ્વારા આપેલો એક પણ મત માત્ર બિહારને બરબાદ નહિ કરશે પરંતુ આરજેડી અને મહાગઠબંધનને પણ મજબુત કરશે. ચિરાગ પાસવાને ટ્વિટ કરી કહ્યું કે, આદરણીય નીતિશજીને આપેલો એક પણ મત ન તો માત્ર બિહારને કમજોર અને બરબાદ કરશે પરંતુ આરજેડી અને મહાગઠબંધનને મજબુત પણ કરશે. ચૂંટણીના પરિણામો બાદ ભાજપને છોડી આરજેડીની સાથે જવાની તૈયારી કરી ચૂક્યું છે. સાહેબ. આરજેડીના આશીર્વાદ પહેલા પણ સરકાર બની ચૂકી છે.