શ્રીનગર: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે જમ્મુ-કાશ્મીરના નિલંબિત પોલીસ અધિક્ષક દેવિન્દરસિંહ સહિતના છ લોકો સામે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ ચાર્જશીટ દાખલકરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપપત્રમાં દેવિન્દર સિંહ સિવાય સૈયદ નાવેદ મુસ્તાક ઉર્ફે નવીદ બાબુ, પ્રતિબંધિત આતંકવાદી જૂથ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર, ઇરફાન શફી મીર, સંગઠનનાકથિત ભૂમિગત કાર્યકર્તા અને તેના સભ્યરફી અહેમદ રાથેરનું નામ પણ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.