ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડીએસપી દેવિન્દર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, આતંકવાદીઓને સાથ આપવાનો આક્ષેપ - NIAએ આતંકવાદીઓને ટેકો આપવાનો આરોપ

NIAએ આતંકવાદીઓને ટેકો આપવાનો આરોપ લગાવતા ડીએસપી દેવિન્દર સિંહ સહિત છ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ધરપકડ કરાયેલા દેવિન્દર પર પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારીઓ સાથે સુરક્ષિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કરવાનો આરોપ છે.

By

Published : Jul 6, 2020, 10:53 PM IST

શ્રીનગર: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે જમ્મુ-કાશ્મીરના નિલંબિત પોલીસ અધિક્ષક દેવિન્દરસિંહ સહિતના છ લોકો સામે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ ચાર્જશીટ દાખલકરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપપત્રમાં દેવિન્દર સિંહ સિવાય સૈયદ નાવેદ મુસ્તાક ઉર્ફે નવીદ બાબુ, પ્રતિબંધિત આતંકવાદી જૂથ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર, ઇરફાન શફી મીર, સંગઠનનાકથિત ભૂમિગત કાર્યકર્તા અને તેના સભ્યરફી અહેમદ રાથેરનું નામ પણ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ સિવાય ઉદ્યોગપતિ તનવીર અહેમદ વાની અને નાયદબાબુના ભાઈ સૈયદ ઇરફાન અહેમદનું નામ પણ શામેલછે.

આ વર્ષે જાન્યુઆરીમાં ધરપકડ કરાયેલા દેવિન્દર પર પાકિસ્તાન હાઇકમિશનના અધિકારીઓ સાથે સુરક્ષિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કરવાનો આરોપ છે.

ABOUT THE AUTHOR

...view details