નવી દિલ્હી: નેપાળ દ્વારા ભારતના લિપુલેખમાં નવા રસ્તાના નિર્માણ અંગે વાંધો ઉઠાવ્યાના એક અઠવાડિયા પછી આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવાણેએ કહ્યું છે કે, તે ખરેખર ચીન છે, જે દિલ્હી અને કાઠમંડુ વચ્ચે તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સેના પ્રમુખનો ચીન તરફ ઈશારો, કહ્યું- 'બીજા કોઈના કહેવા પર નેપાળ રસ્તાનો વિરોધ કરે છે' - લિપુલેખમાં નવા રસ્તાના નિર્માણ
જનરલ નરવાણેએ શુક્રવારે ઓનલાઈન કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, “મને ખબર નથી કે તેઓ શા માટે આંદોલન કરી રહ્યાં છે. એવું માનવા માટે પૂરતા કારણ છે કે તેણે કોઈ બીજાના કહેવાથી આ સમસ્યા ઉભી કરી હશે.

જનરલ નરવાણેએ શુક્રવારે ઓનલાઈન કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, “મને ખબર નથી કે તેઓ શા માટે આંદોલન કરી રહ્યાં છે. એવું માનવા માટે પૂરતા કારણ છે કે, તેણે કોઈ બીજાના કહેવાથી આ સમસ્યા ઉભી કરી હશે. વાતચીતમાં જનરલ નરવાણેએ કહ્યું હતું કે, ભારતને તેની ઉત્તર અને પશ્ચિમ સરહદો પર "ડબલ ફ્રન્ટ" યુદ્ધના દૃશ્ય પર તૈયાર થવું પડશે, પરંતુ અમે દરેક સંઘર્ષમાં પરિવર્તનની સંભાવના જોતા નથી.
નેપાળના વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે ભારત દ્વારા કરવામાં આવેલા રસ્તાના નિર્માણને તેની એકપક્ષીય ક્રિયા ગણાવી હતી અને તે બંને દેશો વચ્ચેના પરસ્પર કરારની વિરુદ્ધ છે તેમ જણાવ્યું હતું. કાઠમંડુએ એમ પણ કહ્યું હતું કે, સરહદ વિવાદનો મુદ્દો પરસ્પર વાતચીતમાં ઉઠાવવામાં આવશે. આ મામલામાં તેમણે નેપાળમાં ભારતીય રાજદૂતને પણ બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો.