ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: નીતિશ કુમાર સાતમી વખત શપથ લેશે

બિહારમાં NDAની આ જીતમાં ભાજપનું મહત્વનું યોગદાન છે, પરંતુ ભાજપ નીતિશકુમારને ફરીથી મુખ્યપ્રધાનનો પદ આપવાના પોતાના નિર્ણય પર કાયમ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો. સંજય જયસ્વાલે કહ્યું કે, નીતિશ કુમાર મુખ્યપ્રધાનાન પદ પર કાયમ રહેશે.

By

Published : Nov 11, 2020, 9:28 AM IST

નીતીશ કુમાર લેશી સાતમી વખત શપથ
નીતીશ કુમાર લેશી સાતમી વખત શપથ

  • બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ 2020
  • નીતિશ કુમાર લેશી સાતમી વખત શપથ
  • બિહારમાં NDAની સરકાર

પટના : બિહાર વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો NDA ગઠબંધનની સરકાર તરફમાં આવ્યો છે. બહુમતી માટે જરૂરી 122 બેઠકો કરતા ત્રણ વધુ NDAને મળી છે એટલે કે 125 બેઠકો NDAએ જીતી છે. ભાજપે 74 અને જેડીયુએ ત્રણ બેઠકો જીતી લીધી છે. ભાજપે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે નીતિશ કુમાર મુખ્યપ્રધાન બનશે. નીતિશ બિહારના સતત સાતમી વખત મુખ્યપ્રધાન પદનો કાર્યભાર સંભાળશે. તેઓ રાજ્યના 37માં મુખ્યપ્રદાન તરીકે શપથ લેશે.

નીતિશ કુમાર મુખ્યપ્રધાન બને, તો તેઓ સાતમી વખત શપથ લેશે

  • તેઓ પ્રથમ વખત 03 માર્ચ 2000ના રોજ મુખ્યપ્રધાન બન્યા હતા, પરંતુ બહુમતીના અભાવે સાત દિવસમાં તેમની સરકાર પડી ગઇ.
  • 24 નવેમ્બર 2005 ના રોજ બીજી વખત તેઓ મુખ્યપ્રધાન બન્યા
  • 26 નવેમ્બર 2010ના રોજ ત્રીજી વખત મુખ્યપ્રધાન બન્યા.
  • 2014 માં મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું, પરંતુ 22 ફેબ્રુઆરી 2015ના રોજ ચોથી વખત મુખ્ય પ્રધાન બન્યા.
  • 20 નવેમ્બર 2015ના રોજ પાંચમી વખત મુખ્યપ્રધાન પદના શપથ લીધા.
  • RJDનો સાથ છોડ્યો તો 27 જુલાઈ, 2017ના રોજ છઠ્ઠી વખત ભાજપની સાથે મળીને ચૂંટણી જીતી અને મુખ્યપ્રધાન બન્યા

મુખ્યપ્રધાન પદ માટે નીતિશના નામ પર મોહર

NDAની આ જીતમાં ભાજપનું મહત્વનું યોગદાન છે, જોકે ભાજપ નીતિશકુમારને ફરીથી મુખ્યપ્રધાનનો પદ આપી શકે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો. સંજય જયસ્વાલે આજે પરિણામોની પૂર્વે કહ્યું હતું. તેમણે કહ્યું કે, પાર્ટી કેટલી પણ બેઠકો જીતે તે મહત્વનું નથી. વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યપ્રધાન પદ માટે નીતિશના નામ પર મોહર લાગશે. વડાપ્રધાન દ્વારા ગરીબો માટે કરવામાં આવેલા કામ બદલ તેમણે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો અને તેમને આ જીતનો શ્રેય પણ આપ્યો.

અમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન નીતિશ કુમારે જાહેરાત કરી હતી કે, આ તેમની છેલ્લી ચૂંટણી છે. તેઓ પહેલાથી જ લાંબા ગાળા માટે રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. નીતિશ કુમારે જુદા જુદા કાર્યકાળમાં 14 વર્ષથી વધુ સમય સુધી રાજ્યના મુખ્યપ્રધાનની અધ્યક્ષતા સંભાળી છે. આ પહેલીવાર છે. જ્યારે તેમણે ચૂંટણીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. જોકે, આ ચૂંટણીમાં તેજસ્વી યાદવે સૌથી વધુ રેલીઓ યોજી હતી.

ABOUT THE AUTHOR

...view details