ગુજરાત

gujarat

By

Published : Oct 9, 2020, 8:39 AM IST

ETV Bharat / bharat

રામ વિલાસ પાસવાનને સન્માનઃ દિલ્હી સહિત રાજ્યોની રાજધાનીમાં રાષ્ટ્રધ્વજને અડધો ઝુકેલો રાખવામાં આવશે

કેન્દ્રિય પ્રધાન રામ વિલાસ પાસવાનના નિધન પર શોક સ્વરુપે તેમના માનમાં આજે રાષ્ટ્રધ્વજને અડધો ઝુકેલો રાખવામાં આવશે.

ramvilas
ramvilas

નવી દિલ્હીઃ ગૃહમંત્રાલયે કહ્યું કે કેન્દ્રિય પ્રધાન રામ વિલાસ પાસવાનના નિધન પર શોક સ્વરુપે આજે રાષ્ટ્રધ્વજને અડધો ઝુકેલો રાખવામાં આવશે. આજે દિલ્હી, તમામ રાજ્યોની રાજધાનીમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રધ્વજને અડધો ઝુકાવી તેમને સન્માન આપવામાં આવશે.

દલિતોના નેતા તરીકે જાણીતા અને કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાનનું ગુરુવારે નિધન થયું છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 74 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે સરકાર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમને સન્માન આપવા રાષ્ટ્રધ્વજને અડધો ઝુકેલો રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

આજે જે દિલ્હી, તમામ રાજ્યોની રાજધાનીમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રધ્વજને અડધો ઝુકાવી તેમને સન્માન આપવામાં આવશે.

આ સાથે જ પસવાનના નિધન પર અનેક નેતાઓએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details