નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, લૉકડાઉન દરમિયાન જરૂરી સેવા માટે દરેક રાજ્યમાં હેલ્પલાઈન નંબર શરુ કરાશે. આ તકે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે, કેટલાક રાજ્યોએ હેલ્પલાઈન નંબર શરૂ પણ કરી દીધો છે.
દરેક રાજ્ય હેલ્પલાઈન નંબર શરુ કરશે- પ્રકાશ જાવડેકર - national-coronavirus-lockdown-minister-prakash-javdekar-cabinet-meeting-media-briefing-
મંગળવારે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધતા 21 દિવસ સુધી સમગ્ર દેશમાંં લૉકડાઉનનું એલાન કર્યુ હતું, ત્યારબાદ આજે સવારે કેબિનેટ મીટિંગ મળી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ સંબોધી હતી.
દરેક રાજ્ય હેલ્પલાઈન નંબર શરુ કરશે- પ્રકાશ જાવડેકર
વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ સ્થિતિ ઉપર નજર રાખી રહી છે. કેબિનેટની બેઠકમાં પણ સોશિયલ ડિસ્ટેસિંગનું ધ્યાન રખાયું હતું. પ્રધાનો એકબીજા વચ્ચે ચોક્કસ અંતર રાખીને બેઠા હતા.