ગુજરાત

gujarat

દુષ્યંત ચૌટાલા સરકારમાં પદ નહીં લે, નૈના ચૌટાલા નાયબ મુખ્યપ્રધાન બને તેવી શક્યતા

By

Published : Oct 26, 2019, 11:56 AM IST

Updated : Oct 26, 2019, 2:09 PM IST

ચંડીગઢઃ ભાજપ અને જેજેપીનું ગઠબંધન થઈ ગયુ છે. તેમની વચ્ચે થયેલી સમજૂતીમાં સરકારમાં મનોહરલાલ મુખ્યપ્રધાન બનશે, જ્યારે જેજેપીના દુષ્યંત ચૌટાલાને નાયબ મુખ્યપ્રધાન બનાવાશે, પરંતુ હવે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર દુષ્યંત કોઈ પણ પદ નહીં સ્વીકારે. તેમના બદલે નૈના ચૌટાલા ડેપ્યુટી સીએમ બને તેવી શક્યતાઓ છે.

naina-chautala

હરિયાણાના રાજકારણમાં ઉથલપાથલ બાદ હવે નવો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા સરકારમાં કોઈ ભૂમિકા નહીં ભજવે. તેમની જગ્યાએ તેમના માતા નૈના ચૌટાલા ડેપ્યુટી cm પદ સંભાળે તેવી શક્યતાઓ છે. આ પહેલા જ્યારે ગઠબંધનની સમજૂતી થઈ તે દરમિયાન ભાજપના ખટ્ટર મુખ્યપ્રધાન અને સાથે જેજેપીના દુષ્યંત ચૌટલા નાયબ મુખ્યપ્રધાન બનશે તેવી વાતો સામે આવી હતી.

Last Updated : Oct 26, 2019, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details