ગુજરાત

gujarat

સુશાંત સિંહ રાજપૂત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ

By

Published : Sep 19, 2020, 10:20 AM IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં મુઝફ્ફરપુર જિલ્લા કોર્ટે ફિલ્મ નિર્માતા-નિર્દશક કરણ જોહર, અભિનેતા સલમાન ખાન સહિત આઠ લોકોને નોટિસ ફટકારી છે.

muzaffarpur
સુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બોલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ ફટકારી

પટના: બિહારના મુઝફ્ફરપુર જિલ્લા કોર્ટમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે ફિલ્મના નિર્માતા નિર્દેશક કરણ જોહર, અભિનેતા સલમાનખાન સહિત આઠ લોકો સામે કેસ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટ શુક્રવારે સુનાવણી દરમિયાન આ કેસમાં આ આઠ બૉલિવૂડ હસ્તીઓને નોટિસ ફટકારી છે.

આ કેસમાં વકીલ એડવોકેટ સુધીર ઓઝાએ જણાવ્યું હતું કે, 17 જૂને સીજેએમ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને સીજેએમ કોર્ટે ફગાવી દીધી હતી. આ પછી 14 ઓગસ્ટના રોજ જિલ્લા અને સેશન્સ જજની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

સુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બોલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ

આઠ સેલેબ્સ સામે ફરિયાદ નોંધાઇ

ફોજદારી એડવોકેટ સુધીર ઓઝા કહ્યું કે, કોર્ટ દ્વારા કેસ ચલાવવામાં આવી રહ્યો હતો, ત્યારે તમામ કાગળો સીજેએમ કોર્ટ પાસે માંગવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી સુનાવણી કરી. તેમજ શુક્રવારે આ આઠ સ્ટાર્સ વિરુદ્ધ નોટિસ ફટકારતા તેઓએ ખુદ અથવા વકીલ દ્વારા 7 ઓક્ટોબરના રોજ મુઝફ્ફરપુર જિલ્લા કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details