કટાસરાજ રાજધાની ઇસ્લાબાદથી 90 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં ચકવાલ જિલ્લામાં સ્થિત છે. વિસ્થાપિત સમ્મપતિ ન્યાસ બોર્ડના પ્રવક્તા આમિર હાશમીએ પ્રેટ્રે જણાવ્યું કે, વાઘા બોર્ડરથી થઇને 82 જેટલા હિન્દુ તીર્થયાત્રીઓ શુક્રવારે લાહોર પહોંચ્યા હતા અને શનિવારે ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે કટાસરાજ માટે રવાના થયા હતા.
વાઘા બોર્ડર પર તીર્થયાત્રીઓનું સ્વાગત બોર્ડના અધિકારીઓ તેમજ પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના નેતાઓએ કર્યું હતું.