ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ મુસ્લિમોને બહાર કરવાના વિનાશકારી એજન્ડાથી ભારતને તોડવા માગે છે: મહેબૂબા મુફ્તી - lok sbha election

શ્રીનગર: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(PDP)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ PM મોદી પર જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક રેલીમાં તેમની ટિપ્પણીને લઈને નિશાન સાધતા કહ્યું કે, ભાજપ મુસ્લિમો અને અલ્પસંખ્યકોને બહાર કરવાના પોતાના વિનાશકારી એજન્ડાથી દેશને તોડવા માગે છે.

ડિઝાઈન ફોટો

By

Published : Apr 15, 2019, 8:37 AM IST

PM મોદીએ કઠુઆમાં એક રેલીમાં અબ્દુલ્લા અને મુફ્તી પરિવારો પર આ કહેતા પ્રહાર કર્યા હતા કે, બંને પરિવારોએ જમ્મુ કાશ્મીરાની ત્રણ પેઢીઓને બર્બાદ કરી દીધી અને તે ભારતને તોડવા નહી દે.

PM મોદીએ કહ્યું હતું કે, અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી પરિવારે જમ્મુ કાશ્મીરની ત્રણ પેઢીઓના જીવનને નષ્ટ કરી દીધી. જમ્મુ કાશ્મીરના ઉજ્વળ ભવિષ્ય તેમના હટયા બાદ જ સુનિશ્વિત કરી શકાય છે. મોદીએ કહ્યું હતું કે, મને જેટલો ખરાબ કહેવો હોય તેટલો કદી દો, પરંતુ મોદી દેશને તોડવા નહી દે. PM મોદીએ કહ્યું હતું કે રાજ્યના સારા ભવિષ્ય માટે તેમને સત્તામાંથી બહાર કરવાની જરૂર છે.

PM મોદી નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલાના જમ્મુ કાશ્મીર માટે અલગ PMની માગના તરફ ઈશારો કરી રહ્યા હતા. નોંધનીય છે કે, મહેબૂબા મુફ્તીની પાર્ટી PDP 2015થી 2018 સુધી ભાજપની સાથે ગઠબંધનમાં રાજ્યમાં સત્તામાં હતી.

PDP અધ્યક્ષે ટ્વી્ટ કરીને કહ્યું કે, શા માટે PM ચૂંટણી પહેલા રાજકિય પરિવારો પર પ્રહાર કરે છે અને ચૂંટણી બાદ ગઠબંધન કરવા માટે દૂત મોકલી છે? વર્ષ 1999માં નેશનલ કોન્ફરન્સ અને 2015માં PDP. ત્યારે તેમણે આર્ટીકલ 270 પર સત્તાને કેમ પંસદ કરી? ભાજપ મુસ્લિમો અને અલ્પસંખ્યકોને બહાર કરવાના વિનાશકારી એજન્ડાથી ભારતને તોડવા માગે છે.

ABOUT THE AUTHOR

...view details