ઉત્તરપ્રદેશ: મુખ્ય સચિવ ગૃહ અવનિશ અવસ્થીએ કહ્યું કે મુખ્યપ્રધાનએ ભારત સરકાર દ્વારા જારી માર્ગદર્શિકાઓની વિગતવાર સમીક્ષા કરી. અનલોક એક હેઠળ ધાર્મિક સ્થળો ખોલવા માટેની માર્ગદર્શિકાની સમીક્ષા કરી. ધાર્મિક સ્થળો, હોટલો અને મોલ્સ ખોલવા માટે આપવામાં આવેલી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓની સમીક્ષા થવી જોઈએ.
યોગી આદિત્યનાથની અઘ્યક્ષતામાં અનલોક-1 અંગે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ
શુક્રવારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અનલોક 1 પર ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. અને તેની ઉંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. તેણે કોવિડ -19 ચેપના ફેલાવાને રોકવા, હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ અસરકારક રાખવા, અન્ય રાજ્યોના કામદારોની તપાસ કરવા, રોજગાર આપવા અને ઓદ્યોગિક પ્રવૃત્તિઓ સરળતાથી ચલાવવા નિર્દેશ આપ્યો છે. આગામી આઠ જૂનથી વિવિધ પ્રવૃત્તિઓમાં રાહતની તૈયારીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકાના અમલીકરણની સમીક્ષા થવી જોઈએ.
જિલ્લા અધિકારીઓ ધાર્મિક સ્થળોના વડાઓ સાથે સંકલન કરીને આ કામગીરી કરશે. ધાર્મિક સ્થળની અંદર એક સમયે પાંચથી વધુ ભક્તો રહેશે નહીં. પ્રતિમા અને ધાર્મિક ગ્રંથોને સ્પર્શ કરવાની મનાઈ રહેશે. ભક્તોની ચંપલની રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. જો શક્ય હોય તો, લોકો તેમના ચપ્પલને તેમના વાહનોમાં રાખે છે જેથી કોઈ અસુવિધા ન થાય.
મુખ્ય આરોગ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના 9 હજાર 733 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં 3,828 કોરોના સક્રિય કેસ છે. 5,648 દર્દીઓની સારવાર કરી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે 257 લોકોનાં મોત નીપજ્યાં છે. આઇસોલેશન વોર્ડમાં 4,765 લોકો છે. તેમની સારવાર વિવિધ હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે.