માયાવતીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ સરકાર ઈમાનદારીની વાતે કરે તો ભાજપ નેતા રાજનીતિમાં આવ્યા પહેલા અને હાલની સંપત્તિનો આંકડો આપે.
આનંદ કુમારની બેનામી સંપત્તિ જપ્ત થવાથી માયાવતીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, શોષિતો વંચિતોને આગળ વધારવા ભાજપને મુશ્કેલી થાય છે. પોતાને હરિશચંદ્ર માનનારી ભાજપ સરકાર ચૂંટણી સમયે તેમની પાસે 2 હજાર કરોડ રુપિયા ક્યાંથી આવ્યા હતા. શું આ બેનામી સંપત્તિ નથી. માયાવતીએ કહ્યું કે, મોદી-શાહની કંપનીને મારો એક જ સવાલ કે, ઓફિસ બનાવવાના અરબો રુપિયા ક્યાંથી આવ્યા છે? શું આ બેનામી નથી. તેમણે કહ્યું કે, ભાજપે વોટ ખરીદી અને EVM મશીનનો ઉપયોગ કરી સત્તા મેળવી છે. માયાવતીએ લોકોને અપીલ કરી કે, મારા ભાઈ પર કાર્યવાહીથી ડરવાની જરુર નથી.