નવી દિલ્હીઃ લોકડાઉન હોવા છતા તબલીગી જમાતનું આયોજન કરવામાં મુખ્ય ભુમિકા ભજવનાર જમાતના મુખ્યા મૌલાના મહંમદ સાદ કંધાલવી તેના કોઈ અંગત સગાને ત્યાં દક્ષિણ-પૂર્વ દિલ્હીના વિસ્તારમાં હોમ કોરોન્ટાઈનમાં હોવાની શક્યતા સેવાઈ રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મૌલાના મોટાભાગે મરકઝ નિવાસમાં અથવા કંધલામાં તેમના પૂર્વજોના ઘરે રહે છે. મરકઝ ચીફ શૂરાની સલાહના વિરુદ્ધમાં તબલીગી જમાતની ટોચની પોસ્ટ પર પહોંચ્યા ત્યારથી વિવાદિત રહ્યા છે જેના કારણે તબલીગી જમાતનું વિભાજન થયું હતું.