ચાઇબાસા: ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં વન વિભાગની 12 બિલ્ડિંગોને શંકાસ્પદ માઓવાદીઓએ ઉડાવી દીધી હતી. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. પોલીસ અધિક્ષક ઇન્દ્રજિત મહથાના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે જિલ્લાના બેરકેલા જંગલ વિસ્તારમાં માઓવાદીઓના એક સમૂહે બિલ્ડિંગમાં ઘૂસીને તમામ કર્મચારીઓને આ જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું.
ઝારખંડમાં માઓવાદીઓએ 12 બિલ્ડિંગોને ઉડાવી દીધી, સર્ચ ઓપરેશન શરૂ - Superintendent of Police Indrajeet Mahatha
પોલીસ અધિક્ષક ઇન્દ્રજિત મહથાના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે ઝારખંડના ચાઇબાસા જિલ્લાના બેરેકલા જંગલ વિસ્તારમાં માઓવાદીઓના એક ગ્રુપે બિલ્ડિંગમાં ઘૂસીને તમામ કર્મચારીઓને આ જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. જે બાદ વન વિભાગની 12 બિલ્ડિંગોને શંકાસ્પદ માઓવાદીઓએ ઉડાવી દીધી હતી.
![ઝારખંડમાં માઓવાદીઓએ 12 બિલ્ડિંગોને ઉડાવી દીધી, સર્ચ ઓપરેશન શરૂ ઝારખંડમાં માઓવાદીઓએ 12 બિલ્ડિંગોને ઉડાવી દીધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7997965-thumbnail-3x2-zar.jpg)
ઝારખંડમાં માઓવાદીઓએ 12 બિલ્ડિંગોને ઉડાવી દીધી
તેમણે જણાવ્યું હતું કે, ઘણા કર્મચારીઓને તેમણે મારમાર્યો હતો અને પોલીસને આ વાત ન જણાવવા ધમકી આપી હતી. મહથાએ કહ્યું કે, માઓવાદીઓએ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસીસ (IED)ની લગાવીને વન વિસ્તારમાં સ્થિત આ ને બિલ્ડિંગ ઉડાવી દીધી હતી.
તેમણે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં માલવાદીઓએ જંગલમાં ઝાડને પણ નુકસાન પહોચાડ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, જંગલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.