બેંગલુરુ / કલકત્તા: બેંગલુરુ અને કલકત્તામાં બે હત્યા બાદ અને આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. બેંગલુરુમાં એક વ્યક્તિએ પહેલા તેની પત્નીની હત્યા કરી, પછી તેના સાસુને મારવા તે કલકત્તા પહોંચી ગયો અને સાસુની હત્યા કર્યા બાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
42 વર્ષિય અમિત અગ્રવાલ જે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો તે તેની પત્ની અને પુત્ર સાથે બેંગલુરુમાં રહેતો હતો. મંગળવારે સવારે તે બેંગ્લોરથી કલકત્તા પહોંચ્યો હતો. સાસરિયા પહોંચ્યા બાદ તેણે તેની સાસુને ગોળી મારીને હત્યા કરી હતી. આ આગાઉ તેણે તેની પત્નીની બેંગલુરુમાં હત્યાા કરી હતી. જો કે, આ ઘટનાને અંજામ આપી રોપીએ પોતનાને પણ ગોળીમારીને આત્મહત્યા કરી લીધી હતી.