રામમંદિર મુદ્દે મમતાએ BJP પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે, જે (PM મોદી) 5 વર્ષમાં રામ મંદિર નથી બનાવી શક્યા તેઓ વિદ્યાસાગરની મૂર્તિ શું બનાવશે ?, તમારા ગુંડા નેતાઓ બંગાળમાં આવીને કહે છે કે "બંગાલ કંગાલ હૈ" શું બંગાળીઓ કંગાળ છે.
બુધવારની ધટના પર તીખી પ્રતિક્રીયા આપતા મમતાએ કહ્યું , ભાજપે ચૂંટણી પંચ જોડે અમારી ફરિયાદ કરી છે. જેમાં તેમણે અમારી સભાને રોકવાની વાત કરી છે. કદાચ હોઇ શકે છે કે, ચૂંટણી પંચનો BJP સાથે ભાઇનો સંબંધ હોય.
મમતાએ કહ્યું કે, પહેલા ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હતું, પરંતુ હવે તે BJPના ઇશારે કામ કરે છે.