કોલકાતાઃ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, કેન્દ્ર દ્વારા ચૂકવેલું ભંડોળના લેખા-જોખા જમા કરવાથી બચવા માટે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દિલ્હીમાં સંબંધિત વિષય પર બેઠકમાં ભાગ લેવા કરતા પત્ર લખીને રાજ્યના ભાગની ધનરાશિને રજૂ કરવાની માગ કરી છે. ઘોષે કહ્યું હતું કે, કેન્દ્ર રાજ્યને પર્યાપ્ત ધનરાશિ આપે છે.
તેમણે દાવો કર્યો કે, તૃણમુલ કોંગ્રેસ સરકાર દ્વારા ઉપયોગ નહીં કરવાને લીધે કેન્દ્રને રકમ પરત કરવામાં આવે છે. સાંસદ ઘોષે કહ્યું કે, કેન્દ્ર રકમ આપવા તૈયાર છે, પરંતુ તેના દ્વારા આપવામાં આવેલી ધનરાશિ ખર્ચ કરવામાં આવતી નથી અને તેને પરત કરવામાં આવે છે. મળેલી રકમનો ખર્ચ કરો અને ત્યારબાદ ખર્ચના લેખા-જોખા માગો.