આ બાબતે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું છે કે, આ સમિતીના મુખ્ય અધ્યક્ષ નવા ગૃહ સચિવ એ. બંધોપાધ્યાય હશે.
‘દીદી’ આવ્યા એક્શનમાં, વિદ્યાસાગરની મૂર્તિ તોડવા અંગે બનાવી તપાસ સમિતી - Congress
કોલકાતા: પશ્ચિમ બંગાલ સરકારના પ્રખ્યાત સમાજસુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવા બાબતની તપાસ માટે એક સમિતીની રચના કરવામાં આવી છે. આ ટીમમાં સરકારે 5 સદસ્યોને સામેલ કર્યા છે.
![‘દીદી’ આવ્યા એક્શનમાં, વિદ્યાસાગરની મૂર્તિ તોડવા અંગે બનાવી તપાસ સમિતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3401926-thumbnail-3x2-iiii.jpg)
desecration
મમતાએ સચિવાલયમાં જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન અરાજક તત્વોએ વિદ્યાસાગરની મૂર્તિને તોડવામાં આવી હતી. માટે અમે એક સમિતીની રચના કરી છે. આ સમિતી આ બાબતની તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ બાબતે પહેલા પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને લગભગ 35 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.