ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માલેગાંવ બ્લાસ્ટ કેસ: પીડિત પરિવારે જસ્ટિસ પાડલકરનો કાર્યકાળ વધારવા કરી માગ

માલેગાંવ બ્લાસ્ટના પીડિત પરિવારે મુંબઈ કોર્ટના એડિશનલ સેશન જ્જ વએસ પાડલકરનો કાર્યકાળ વધારવાની માગ કરી છે. પાડલકર 29 ફેબ્રુઆરીએ સેવાનિવૃત થઈ રહ્યા છે.

By

Published : Feb 28, 2020, 3:55 AM IST

a
માલેગાંવ બ્લાસ્ટ કેસ: પીડિત પરિવારે જસ્ટિસ પાડલકરનો કાર્યકાળ વધારવા કરી માગ

નવી દિલ્હીઃ માલેગાંવ બ્લાસ્ટના પીડિત પરિવારે મુંબઈ કોર્ટના એડિશનલ સેશન જ્જ વએસ પાડલકરનો કાર્યકાળ વધારવાની માગ કરી છે. પાડલકર 29 ફેબ્રુઆરીએ સેવાનિવૃત થઈ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં આ અંગે પીડિત પરિવારે અરજી કરી છે, પીડિત પરિવાર દલીલ કરી છે કે આ કેસમાં આરોપનામું ઘડાયુ છે.

140થી વધારે સાક્ષીઓની તપાસ થઈ ચૂકી છે. એવામાં જો બીજા કોઈ ન્યાયાધીશના હાથમાં આ કેસ જશે તો કેસની સુનાવણીમાં વિલંબ થઈ શકે છે. જેથી તેમની સેવાનિવૃતિ રોકી કાર્યકાળ વધારવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર પણ મુખ્ય આરોપી છે.

ABOUT THE AUTHOR

...view details