મુંબઇ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજ્યના મંત્રીમંડળે સોમવારે ફરી એકવાર તેમને વિધાન પરિષદ (એમએલસી)ના સભ્ય તરીકે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની વરણી માટે કહ્યું છે. ગયા વર્ષે 28 નવેમ્બરના રોજ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું અને પદ ચાલુ રાખવા માટે એક મહિનાની અંદર વિધાનસભાના સભ્ય બનવું પડશે, પરંતુ હજી સુધી તે રાજ્ય વિધાનસભા અથવા પરિષદના સભ્ય પણ નથી બન્યાં.
મહારાષ્ટ્ર પ્રધાન મંડળે ઉદ્ધવને MLCના સભ્ય બનાવવા રાજ્યપાલને કરી ભલામણ - ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજ્યના કેબિનેટે સોમવારે તેમને ફરી એકવાર વિધાન પરિષદ (એમએલસી) ના સભ્ય તરીકે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની વરણી માટે કહ્યું છે.

udhadhav thackeray
ઉપમુખ્યપ્રધાન અજીત પવારની અધ્યક્ષતાવાળી પ્રધાન મંડળની બેઠકમાં કોશ્યારીને કાઉન્સિલમાં રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બે સભ્યોમાંથી એક તરીકે ઠાકરેની નિમણૂક કરવાની ભલામણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં કેબિનેટની બેઠક બાદ રાજ્યપાલને પણ આવું કરવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ કોરોના વાઈરસને કારણે તમામ ચૂંટણીઓ મુલતવી રાખવાના કારણે ઠાકરે ચૂંટણી લડી શક્યા નહી અને ધારાસભ્ય પણ બની શક્યા નહી.