ગુજરાત

gujarat

લખનઉઃ વિશ્વ સિન્ધી સેવા સંગમ પરિવારે અયોધ્યા રામમંદિરમાં 200 ચાંદીની શિલાઓનું દાન કર્યુ

By

Published : Jan 27, 2021, 4:39 PM IST

વિશ્વ સિન્ધી સેવા સંગમ પરિવાર ઉત્તરપ્રદેશ તરફથી ગત 25 જાન્યુઆરીએ લખનઉના આલમાગ રોડ પરના પેલેસમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સંગમ પરિવાર તરફથી 200 ચાંદીની શિલાઓને રામલલ્લાની સેવામાં સ્થપિત કરવા માટે અયોધ્યા મોકલવામાં આવશે.

Breaking News

  • વિશ્વ સિન્ધી સેવા સંગમ પરિવાર ઉત્તરપ્રદેશ દ્વારા કાર્યક્રમ યોજાયો
  • સંગમ પરિવાર તરફથી 200 ચાંદીની શિલાઓ અયોધ્યા મોકલાશે
  • ઉત્તરપ્રદેશના અનેક મહાનુભાવો રહ્યા હતા ઉપસ્થિત

લખનઉઃવિશ્વ સિન્ધી સેવા સંગમ પરિવાર ઉત્તરપ્રદેશ તરફથી 25 જાન્યુઆરીએ આલમાગ રોડ પરના પેલેસમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કહેવામાં આવ્યુ હતુ કે, સંગમ પરિવાર તરફથી 200 ચાંદીની શિલાઓને રામલલ્લાની સેવામાં સ્થપિત કરવા માટે અયોધ્યા મોકલવામાં આવશે. રાજ્યના જલશક્તિ પ્રધાન ડો. મહેન્દ્ર સિંહ અને સિંન્ધી અકાદમીના ઉપાધ્યક્ષ નાનક ચંદ લખાની કાર્યક્રમના મુખ્ય અતિથિઓ હતા.

ઉત્તરપ્રદેશના અનેક મહાનુભાવો રહ્યા હતા ઉપસ્થિત

આ શિલાઓ 26 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાના ચરણોમાં સ્થાપ્ત કરવા માટે સોંપવામાં આવશે. આ કાર્યક્રમમાં વિશ્વ સેવા સંગમ પરિવાર તરફથી રાજૂ મનમાની , ઈન્ટરનેશનલ ચેરમેન ગોપાલ રાજનાની, ફાઉંડચ ચેરમેન ભરત વટવાની, ઈન્ટરનેશનલ પ્રમુખ નરેશ ભાવનાની, ઉત્તરપ્રદેશના પ્રમુખ કંચન અહૂજા, પ્રમુખ મહિલા વિંગ ઉત્તર પ્રદેશ જય કિશન મૂલવાણી, યુ.પી.ના જનરલ સેક્રેટરી સતિષ ચાંદની, યુ.પી.ના ખજાનચી તરુણ સંગવાણી, શ્રીચંદ સાહિત્ય, સુધીર ખત્રી, જગદીશ જગવાણી, રાજગોપાલ ખટ્ટર, નિખિલ ચાંદની, અમિત વાગવાણી, સુશીલ સમતાણી, સતિષ રાજપાલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details