ગુજરાત

gujarat

By

Published : Dec 30, 2019, 3:43 AM IST

ETV Bharat / bharat

રાજસ્થાનમાં બાળકોના મોતની ઘટના, લોકસભા અધ્યક્ષે હોસ્પિટલની મુલાકાત લીધી

રાજસ્થાનઃ કોટા પ્રવાસ પર આવેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે જેકેલોન પહોંચી નિરીક્ષણ કર્યુ. તેમજ મેડિકલ કોલેજ આચાર્ય અને જેકેલોન હોસ્પિટલના અધિક્ષક સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કેટલાય સૂચનો આપ્યા અને કહ્યું કે, જે પણ ખોટ હશે તે લોકોના સહયોથી દૂર કરાશે.

LS speaker Om birla visit kota hospital after infants death
LS speaker Om birla visit kota hospital after infants death

કોટા જેકેલોન હોસ્પિટલમાં થયેલા બાળકોના મોત પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હોસ્પિટલ પહોંચી નિરીક્ષણ કર્યુ. તેમણે જણાવ્યુ કે, હોસ્પિટલમાં જે પણ જરૂરત હશે તે અંગે લખીને આપીશ. બાદમાં તેની પર તાત્કાલિક અમલ કરી દેવાશે. બાળકોના મોતને દુઃખદ ગણાવતા તેમણે કહ્યું કે સંશાધનોની ઉણપ અને ડૉક્ટરોની લાપરવાહીના કારણે બાળકોના મોત ન થવા જોઈએ.

સંશાધનોની ખોટ દૂર કરવા અને ઓક્સિજનન સપ્લાયનું કામ જનસહયોગની જરૂરત છે. એક બેડ પર ત્રણ-ત્રણ બાળકોને રાખવા તે યોગ્ય નથી, તેથી તે દિશામાં પણ કામગીરી કરાશે.

ABOUT THE AUTHOR

...view details