ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લૉકડાઉનમાં વધારો થતાં રેલવેનો મહત્વનો નિર્ણય, 39 લાખ લોકોની ટિકિટો કરી રદ - કોરોના વાઇરસની રેલવેમાં અસર

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે સરકાર દ્વારા લૉકડાઉનને 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આ લૉકડાઉન દરમિયાન રેલવેનું બુકિંગ ચાલુ હતું, પરંતુ હવે લૉકડાઉન વધવાને કારણે રેલવેએ પેસેન્જર સેવાઓ રદ કરી છે અને આ ઉપરાંત બધા જ એડવાન્સ બુકિંગને પણ કેન્સલ કર્યા છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Indian Railway
Indian Railways to cancel around 39 lakh tickets

By

Published : Apr 15, 2020, 10:33 AM IST

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે તેના ફેલાવાને રોકવા માટે વડાપ્રધાન મોદી દ્વારા લૉકડાઉનને 3 મે સુધી વધારવામાં આવ્યું છે, ત્યારે ભારતીય રેલવે દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ પેસેન્જર સેવાઓ રદ્ કરી છે અને એડવાન્સ બુકિંગ પણ કેન્સલ કર્યા છે.

દેશમાં લૉકડાઉન દરમિયાન 39 લાખ લોકોએ ટ્રેનમાં બુકિંગ કરાવ્યું હતું, પરંતુ લૉકડાઉન વધવાથી બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા છે. પરંતુ તમારે ચિંતાની જરુર નથી, કારણ કે, આ દરમિયાન બુક કરેલી ટ્રેનની ટિકિટ્સના પૈસા પરત મળી શકશે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, જેમણે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે, તેમને સંપૂર્ણ રકમ મુસાફરોના ખાતામાં પરત કરવામાં આવશે. જે લોકોએ કાઉન્ટર ઉપર બુકિંગ કરાવ્યું હશે તેમને પણ સંપૂર્ણ રકમ મળી જશે.

આ ઉપરાંત રેલવેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ દ્વારા તેમના ઓનલાઇન ગ્રાહકોને સંપૂર્ણ રિફંડ સીધું ખાતામાં જમા થશે. જો કે, જે લોકોએ કાઉન્ટર પર બુકિંગ કરાવ્યું છે, તે લોકો 31 જૂલાઇ સુધી રિફંડ મેળવી શકશે.

ABOUT THE AUTHOR

...view details