ગુજરાત

gujarat

By

Published : Jul 7, 2019, 9:09 PM IST

ETV Bharat / bharat

'કરનાટક': કુમારસ્વામી પહોંચ્યા બેંગ્લુરૂ, JDSની બેઠક

ન્યૂઝ ડેસ્કઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર સંકટમાં છે, ત્યારે શનિવારે 13 ધારાસભ્યોના રાજીનામા બાદ તેમને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.

F

કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ઉથલ-પાથલ વચ્ચે કુમારસ્વામી અમેરિકાથી સીધા બેંગ્લુરૂ આવી પહોંચ્યા છે. જ્યાં થોડીવારમાં જ JDSની બેઠક યોજાશે. કુમારસ્વામીએ આ પહેલા જ રાજીનામું આપવા સુધી તૈયારી દર્શાવી હતી, ત્યારે બેંગ્લુૂરૂ ખાતે યોજનારી બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.

'કરનાટક': કુમારસ્વામી પહોંચ્યા બેંગ્લુરુ, JDSની બેઠક
હાલ કોંગ્રેસ અને JDS દ્વારા રાજીનામા આપનાર તમામ ધારાસભ્યોને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. બીજી તરફ ધારાસભ્યો રાજીનામા પરત ખેંચવાને બદલે ભાજપમાં જોડાઈ જવા સુધીના સંકેત આપી રહ્યાં છે, ત્યારે ફરીથી કર+નાટક ભાગ-2 શરૂ થયો છે. નારાજ ધારાસભ્યોને સમજાવવાની જવાબદારી કેસી વેણુગોપાલને સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, હજી સુધી વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા નથી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details