નવી દિલ્હીઃ વિશ્વવ્યાપી કોરોના વાઇરસ સંકટ ભારતમાં વધુ પ્રસરી રહ્યું છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 18 હજારને પાર પહોંચી છે. આ કડીમાં હવે રાષ્ટ્રપતિ ભવન પણ જોડાયું છે. રાષ્ટ્રપતિ ભવનમાં એક કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાષ્ટ્રપતિ ભવનનો કર્મચારી કોરોનાગ્રસ્ત, 125 પરિવાર આઇસોલેટ કરાયા
રાષ્ટ્રપતિ ભવનમાં એક કર્મચારીનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ 125 પરિવારને આઇસોલેટ કરવામાં આવ્યા છે.
Kin of Rashtrapati Bhavan staffer tests COVID-19 positive
મળતી માહિતી મુજબ સોમવારે રાષ્ટ્રપિત ભવનમાં એક કર્મચારીને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ 125 પરિવારોને સુરક્ષિત રીતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
સ્વાસ્થય મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર તમામ લોકોને અનિવાર્ય રીતે એક-બીજાથી અલગ રહેવાની સલાહ આપી છે.