હુબલી: કર્ણાટકના હુબલીની અદાલતે રાજદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓને જામીન આપી દીધા છે. હુબલી પોલીસે આ વિદ્યાર્થીઓને પુલવામા આતંકી હુમલાની વર્ષગાંઠની ઉજવણી અને પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવવાના આરોપસર ધરપકડ કરી હતી. આ વિદ્યાર્થીઓ પર દેશદ્રોહનો કેસ લગાડવામાં આવ્યો હતો.
પોલીસે બુધવારે ત્રણેય વિદ્યાર્થીઓને હુબલીની જેએમએફસી-2 કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં ન્યાયાધીશે બંને પક્ષની સુનાવણી કર્યા પછી તેમને જામીન આપ્યા હતા.