ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરી પંડિતોએ ઘરે પાછા ફરવાનો નિશ્ચય કર્યો, શહીદોને આપી શ્રદ્ધાંજલિ - કાશ્મીરી પંડિત સમુદાય

નવી દિલ્હી: કાશ્મીરી પંડિતોએ આજે બલિદાન દિવસ મનાવ્યો હતો અને માતૃભૂમિને ફરી વખત પાછી મેળવવાની લડાઈ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો.

Kashmiri Pandit back to jk

By

Published : Sep 15, 2019, 5:26 PM IST

કાશ્મીરી પંડિત સમુદાય છેલ્લા 29 વર્ષથી આ દિવસને મનાવી રહ્યા છે.

શનિવારના રોજ પંડિતો દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર 1989-90માં ઈસ્લામિક જિહાદીઓ દ્વારા કાશ્મીરમાં જાતિગત સફાઈની શરૂઆત થઈ હતી. જેમાં કહેવાયું હતું કે, હજારો લોકો માર્યા ગયા, મહિલાઓ સાથે દુષ્કર્મ થયા, સંપતિ અને મંદિરો તોડવામાં આવ્યા. કાશ્મીરી પંડિતોને ભગાડવા માટે અખબારોમાં ધમકીઓ આપવામાં આવી.

આ નિવેદનમાં સાથે એવું પણ જણાવાયું છે કે, એક જ રાતમાં 5 લાખ લોકોને પોતાના ઘરમાંથી ખદેડવાનું કામ થયું હતું. તેમાં કહેવાયું છે કે, જમ્મુમાં યોગ્ય હવામાન, ભૂખમરી, સાંપના ડંશ અને પલાયનના કારણે દુ:ખી થયેલા લોકો સ્વાસ્થ્ય સંબંધી બિમારીને કારણે 50 હજારથી પણ વધારે પંડિતોએ પોતાનો જીવ આપી દીધો હતો. કાશ્મીરમાં જિહાદીઓ તથા આતંકવાદીઓ સાથે લડતા 5 હજારથી પણ વધારે સુરક્ષાકર્મીઓ પોતાના જીવ આપી દીધો છે.

જમ્મુ કાશ્મીર ભાજપના પ્રમુખ રવિંદર રૈનાએ કહ્યું હતું કે, કાશ્મીર પંડિતોએ કાશ્મીરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે એટલા માટે તે માર્યા ગયા. પાકિસ્તાને વિચાર્યું હતું કે, પંડિતોની સફાઈ કરી કાશ્મીર પર કબજો કરી લેશે. જો કે, તેમણે પાકિસ્તાનના ષડયંત્રોને વૈશ્વિક સ્તરે ખુલ્લા પાડી દીધા હતા.

અહીં આતંકવાદ સાથે લડતા શહિદ થયેલા સૈનિકો અને નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

કાશ્મીરી પંડિતોએ 370 અને 35એના હટાવવા બદલ સરકારના વખાણ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details