શ્રીનગરઃ સઘંર્ષ અને કટોકટી અમુક મહત્વપૂર્ણ ક્ષેત્રમાં નોંધપાત્ર નડતર ઉભુ કરે છે. જેમ કે સમુદાયનું ભવિષ્ય, સામાજીક મૂલ્યો, જાહેર આરોગ્યની પ્રણાલીઓ અને અન્ય ક્ષેત્રો કે સમુદાયના ભવિષ્યને વધુ સારુ બનાવવામાં મહત્વની ભૂમિકામાં હોય છે. માનવતાવાદની કટોકટી હોય ત્યારે વિશ્વાસની ખોટ ત્યારે શંકા કે સંશયવાદને આદર્શ રીતે પાછળ લઇ લેવા જોઇએ. પણ કાશ્મીર સંદર્ભમાં આવુ નથી..
ઘણીવાર શાસન વ્યવસ્થામાં અવિશ્વાસ અને શ્રધ્ધાનો અભાવ સમાજની ખામીઓને દૂર કરવામાં અવરોધક બની જાય છે.. આ સંદર્ભમાં કાશ્મીર એક વિશેષ ઉદાહરણ છે. જેમાં કોવિડ-19ને કારણે 60 લાખની વસ્તી વિશ્વના અન્ય દેશોની માફક સંપૂર્ણ લોકડાઉન હેઠળ છે.
કાશ્મીરના દશ જિલ્લાના ઘણા વિસ્તારોને ભૌગોલિક નિયંત્રણ હેઠળ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. દેશના અન્ય રાજ્યોની માફક આ નિયંત્રણો લાદવાનો હેતુ એ છે કે કોવિડ-19 મહામારી અન્ય વિસ્તારોમાં ન પ્રવેશ અને તે જે વિસ્તારમાં હોય ત્યાંથી જ તેને રોકી શકાય જેથી લોકલ ટ્રાન્સમીશનની સાંકળને તોડી શકાય. આ કન્ટેઇનમેન્ટ વિસ્તાર પાંચ કિલોમીટરની ત્રિજ્યાના બફરઝોનમાં છે અથવા ઓછા જોખમવાળા વિસ્તારના છે.
રેડ ઝોનના જોખમી ભૌગોલિક ક્ષેત્રોમાં કેવી રીતે રહેવુ તતે અંગે સૂચિત માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે. કોઇ વ્યક્તિ અંદર ન આવે કે બહાર ન જઇ શકે તે માટે સિમેન્ટના બેરિકેટ મુકીને રેડ ઝોનને અલગ રાખવામાં આવ્યા છે.. પહેલાના સમયમાં રક્તપિત્તના દર્દીઓની વસાહતમાં જે રીતે પ્રવેશ અને બહાર જવાના રસ્તા સંપૂર્ણ બંધ કરવામાં આવતા હતા તે રીતે જ આ બંધ કરાયા છે.
સોશિયલ મિડીયામાં શેર કરાયેલી કાશ્મીરની રેડ ઝોનની તસ્વીરો ખરેખર જોખમને દર્શાવે છે. જાણે કે આખી તે ચોક્કસ વિસ્તારની તમામ વસ્તી કોવિડ-19થી સંક્રમિત થઇ ગઇ હોય. પણ આ એટલા માટે મોટાભાગના લોકો માટે કરવામાં આવે છે કે જેથી આ રોગ પડોશી વિસ્તારમાં ન ફેલાય. વાહનોની અવરજવરને રોકવા માટે રસ્તાઓને ખોદીને મોટા પથ્થરો મુકી દેવામાં આવ્યા છે. જે અંગે કાશ્મીરના લોકોએ કેટલાંક સવાલો ઉભા કર્યા છે.
સંબધિત વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ ઝોનને લોકોને મોટા કાવતરાની માફક જુએ છે. વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવામાં આવ્યા બાદ હવે લોકડાઉન અને કરફયુ લદાયેલો છે.
હાલના મોટાભાગના રેડ ઝોન અગાઉના રાજકીય રેડ ઝોન ગણાતા હતા. કે જ્યાં શેરીઓમાં વિરોધ પ્રદર્શન થતા હતા અને બાદમાં હિંસાને રોકવા માટે મોટાપાયે લશ્કરનો ઉપયોગ કરીને આ વિસ્તારોને અન્ય વિસ્તારોથી અલગ કરી દેવામાં આવતા હતા.
શ્રીનગરના ડાઉન ટાઉનમાં સ્થિતિ ચિંતાજનક હતી. કાશ્મીરમાં સરકાર જે સારુ કરવા માટે પ્રયત્ન કરે છે. તેમાં હમેશા પરેશાની આવી છે. એલઇડી બલ્બના વિતરણ માટેની સરકારની યોજનાને પણ લોકો જાસુસીના સાધનના વિતરણની યોજના તરીકે જોવા લાગ્યા હતા. એલઇડી બલ્બ સબસીડી પર વહેચવામાં આવતા હતા તે પણ લોકો શેરીઓમાં ફેંકી દેતા હતા. કારણ કે તે એવુ માનતા હતા કે બલ્બમાં તેમના પર જાસૂસી કરવા માટે એક ચીપ લગાવવામાં આવી છે.