ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકઃ છેલ્લા 40 દિવસમાં 6 હાથીના મોત - Etv Bharat

કર્ણાટકના નર મહાદેશ્વરા વન્ય પ્રાણી અભયારણ્ય અને કાવેરી વન્ય પ્રાણી અભયારણ્યમાં છેલ્લા 40 દિવસમાં 6 હાથીઓના મોત થતાં ચકચાર મચી ગઈ છે.

Etv Bharat, Gujarati News, Karnataka News, Six Pachyderms
Six pachyderms die in last 40 days

By

Published : Apr 19, 2020, 1:55 PM IST

કર્ણાટકઃ કર્ણાટકના નર મહાદેશ્વરા વન્ય પ્રાણી અભયારણ્ય અને કાવેરી વન્ય પ્રાણી અભયારણ્યમાં છેલ્લા 40 દિવસમાં 6 હાથીઓના મોત થતાં ચકચાર મચી ગઈ છે. અહીં છેલ્લા 40 દિવસમાં નર મહાદેશ્વરા વન્ય પ્રાણી અભયારણ્ય અને કાવેરી વન્ય પ્રાણી અભયારણ્યની હદમાં ઓછામાં ઓછા 6 હાથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Six pachyderms die in last 40 days

મળતી માહિતી મુજબ કાવેરી વન્યપ્રાણી અભયારણ્યમાં ઓછામાં ઓછા 4 હાથીઓના મોત થયા હતા, જ્યારે છેલ્લા 40 દિવસમાં નર મહાદેશ્વરા વન્યપ્રાણી અભયારણ્યમાં બે ઝુમ્બો મૃત્યુ પામ્યા હતા.

વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, કાવેરી વન્ય પ્રાણી અભયારણ્યમાં 1 હાથી જીવિત ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતા મોત થયું હતું અને અન્ય હાથી કુદલ્લી વિસ્તાર નજીક ખાઇમાં પડતા તેનું મોત થયું હતું.

આ ઉપરાંત વન્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, નર મહાદેશ્વરા વન્યપ્રાણી અભયારણ્યમાં પાણીની શોધ કરતી વખતે એક માદા હાથી એક ટેકરી પરથી લપસી જતાં મોત થયું હતું. અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઇરાકાયમ વન શ્રેણીમાં નામધારી હાલલા નજીક એક નર હાથીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે, તે નીચે પછડાતા જતાં અનેક ઇજાઓથી મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details