RJDએ પોતાની સીટમાંથી 1 સીટ CPIને આપવાનું કહ્યું છે, પરંતુ આ ગઠબંધનમાં કન્હૈયા કુમારને સામેલ કરવામાં આવશે. તે ઉપરાંત કન્હૈયાની પાર્ટી CPIને સીટ આપશે તેવી અટકળો છેલ્લા ઘણા સમયથી વહેતી થઇ હતી. જેના પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
JNUના ભૂતપૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને તેજસ્વીની વચ્ચે સારા સંબંધો હતા. અનેક કાર્યક્રમમોમાં તેજસ્વીની અને કન્હૈયા એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતાં. જેને લઇને તેજસ્વીએ ઘણી વાર મંચ પર પણ કન્હૈયાની તરફેણ કરી છે. જેમાં ઘણીવાર તેમણે ભાજપા પર આક્ષેપો કરતા કન્હૈયા તરફથી કહ્યું હતું કે, વર્તમાન શાસનમાં જો કોઇ પણ શાસક પક્ષની સામે મુદ્દો ઉઠાવે તો તેની સામે કાર્યવાહી થતી હોય છે અને તેવું અમારા લોકો સાથે પણ થયું છે. ત્યારથી એવી અટકળો વહેતી થઇ હતી કે કન્હૈયા કુમારને મહાગઠબંધનમાં શામેલ કરી શકે છે, પરંતુ છેલ્લી ઘડીએ બાજી પલટાય ગઇ હતી અને મહાગઠબંધનમાંથી કન્હૈયાકુમાર બહાર રહી ગયો.