નવી દિલ્હીઃ JNU દિલ્હીના કુલપતિ પ્રોફેસર એમ. જગદીશ કુમારે ભારત સરકાર દ્વારા મંજૂર થયેલી નવી શિક્ષણનીતિનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ શિક્ષણ નીતિ દેશનું ભવિષ્ય મજબૂત કરશે.
દિલ્હી સરકાર દ્વારા જાહેર થયેલી નવી શિક્ષણ નીતિનું JNU કુલપતિએ કર્યું સ્વાગત - દિલ્હી સરકાર દ્વારા નવી શિક્ષણનીતી જાહેર થઇ
છેલ્લા ઘણા સમયથી દેશમાં શિક્ષણ નીતિમાં ફેરફાર લાવવાની ચર્ચા ચાલી રહી હતી જેનો આખરે અંત આવ્યો છે. 34 વર્ષ બાદ દેશમાં પહેલીવાર પ્રાથમિકથી લઈને કોલેજના શિક્ષણમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેને દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિએ આવકાર્યા હતા.
દિલ્હી સરકાર દ્વારા જાહેર થયેલી નવી શિક્ષણ નીતિનું JNU કુલપતિએ કર્યું સ્વાગત
છેલ્લા 34 વર્ષોથી શિક્ષણનીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. હવે કેન્દ્ર સરકાર દ્વારા સકારાત્મક પગલા ભરી આ નીતિમાં ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ નીતિમાં પડકારોનો સામનો કરવો અને કોઈપણ મુશ્કેલીમાં હિંમત ન હારવી એ જ લક્ષ્ય હશે અને તે માટે આપણે તૈયાર છીએ.