શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉપ રાજયપાલ ગિરીશચંદ્ર મુર્મૂએ ભાજપના નેતા વસીમ બારીની હત્યાની નિંદા કરી છે. ભાજપના રાજ્ય કારોબારીના સભ્ય વસીમ બારીને બુધવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મુર્મૂએ કહ્યું કે આવા ગુનાઓ માફ કરી શકાતા નથી.
જમ્મુ-કાશ્મીર: ઉપ રાજ્યપાલ મુર્મૂએ ભાજપના નેતાની હત્યાની કરી નિંદા - Assassination of BJP leader in Jammu and Kashmir
જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મૂએ ભાજપના નેતા વસીમ બારીની હત્યાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવા મોટા ગુનાઓને માફ કરી શકાતા નથી. નોંધનીય છે કે, બુધવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ આતંકવાદીઓએ ભાજપના રાજ્ય કારોબારીના સભ્ય વસીમ બારીની ગોળી મારીને હત્યા કરી હતી.
![જમ્મુ-કાશ્મીર: ઉપ રાજ્યપાલ મુર્મૂએ ભાજપના નેતાની હત્યાની કરી નિંદા jammu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7955361-thumbnail-3x2-vml.jpg)
ભાજપના નેતાનો મૃતદેહ તેના પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવ્યો છે. બીજી તરફ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ છે. કોઈ અઘટિત સંભાવનાને જોતાં પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. વિવિધ રાજકીય, સામાજિક અને વ્યવસાયિક સંગઠનોના જાહેર, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના સભ્યો ભાજપના નેતાના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, આતંકીઓએ વસીમ બારી ઉપરાંત તેના પિતા અને ભાઈને પણ ગોળીઓ મારી હતી. આ ઘટના પછી જમ્મુ-કાશ્મીરના અધિકારીઓએ નેતાઓની સુરક્ષા કરવામાં બેદરકારી દાખવવાના આરોપમાં સાત પોલીસકર્મીની ધરપકડ કરી છે.