ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જામિયા ફાયરિંગ કેસ : ગૃહપ્રધાન અમિત શાહે કડક કાર્યવાહી કરવા આપ્યો આદેશ - નાગરિકાતા સંશોધન કાયદા વિરૂદ્ધ

નાગરિકાતા સંશોધન કાયદા વિરૂદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ થઇ હતી. જેમાં એક યુવકે અચાનક ગોળી ચલાવી હતી. જેના પગલે એક વિદ્યાર્થી આ ઘટનામાં ઘાયલ પણ થયો હતો. આ સમગ્ર ઘટના બાદ પોલીસે ગોળી ચલાવનાર યુવકની ધરપકડ કરી હતી. આ વચ્ચે રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે. આ સમગ્ર ઘટનાના પગલે આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે.

જામિયા ફાયરિંગ કેસ : ગૃહપ્રધાન અમિત શાહે આપી કડક સૂચના
જામિયા ફાયરિંગ કેસ : ગૃહપ્રધાન અમિત શાહે આપી કડક સૂચના

By

Published : Jan 31, 2020, 9:25 AM IST

શાહીનબાગથી રાજધાટ જઇ રહેલા જામિયાના વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવનાર યુવક વિરૂદ્ધ હત્યાની કોશિશ અને ગેરકાયદાકીય રીતે હથિયાર રાખવા સામે FIR દાખલ કરવામાં આવી છે. આ તમામ કેસ ઘાયલ થયેલા યુવાનના જણાવ્યાં પ્રમાણે દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ પ્રવક્તા અનિસ મિત્તલે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

જે વ્યક્તિએ ગોળી ચલાવી છે તે જામિયાનો વિદ્યાર્થી નથી. તે 19 વર્ષનો છે અને નોઇડાના જેવર વિસ્તારનો રહેવાસી છે. જોકે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ગોળી લાગવાથી એક વિદ્યાર્થી પણ ઘાયલ થયો હતો. વિશ્વવિદ્યાલયની અર્થશાસ્ત્રની વિદ્યાર્થીની આમના આસિફે જણાવ્યું કે, "બધા હોસ્પિટલ તરફ આગળ વધી રહ્યા હતા અને અચાનક બંદુક સાથે એક વ્યક્તિ સામે આવ્યો અને તેણે ફાયરિંગ કર્યું. જેથી મારો મિત્ર ઘાયલ થયો હતો."

જામિયા ઘટના પર ગૃહપ્રધાન અમિત શાહે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દિલ્હી પોલીસ કમિશ્નર સાથે આ ઘટના બાબતે ચર્ચા થઇ છે. સમગ્ર ઘટનાની વિગત મેળવ્યા બાદ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર આવી કોઇ પણ ઘટનાને સહન નહીં કરે.

ABOUT THE AUTHOR

...view details