‘જલ પુરુષ’ રાજેન્દ્ર સિંહે છત્તીસગઢની નદીઓ અરપા, ખારુન, ઇંન્દ્રાવતી અને મહાનદી માટે રેતીના ખનનને એક મોટુ સંકટ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, જેવી રીતે મનુષ્ચના શરીરમાં ફેફસા શુદ્ધીકરણનું કામ કરે છે, તેવી રીતે રેતી નદીઓને શુદ્ધ કરવાનું કામ કરે છે. રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે, નદીઓમાં રેતીની ખનન પ્રક્રિયાનું પ્રમાણ વધી જવાને કારણે નદીઓ દુષિત થઇ રહી છે.
રાજેન્દ્ર સિંહે કહ્યું કે, ETV ભારત દ્વારા જો આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે તો, દેશની જનતાએ આ અભિયાનમાં જોડાવું જોઇએ, હું પણ આ અભિયાન સાથે જોડાઇશ. આ અમારા દેશના સુરક્ષિત ભવિષ્ય માટેનું આંદોલન છે.